Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના ટેકનીકલ યુનિયન દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને લડત શરુ કરવામાં આવી છે, ટેકનીકલ યુનિયનના અધિકારીઓ અને કર્મચારીઓ હાલ કાળીપટ્ટી ધારણ કરી અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, અને કરોડોના કામો વર્ષોથી કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને સોંપવામાં આવ્યાની બાબત તેમજ એક જ અધિકારીને એકથી વધુ ચાર્જ સહિતના મુદ્દાઓ પર આગામી દિવસોમાં હડતાલ સહિતની ચીમકી પણ મનપાના ટેકનીકલ યુનિયન દ્વારા ઉચ્ચારવામાં આવ્યા બાદ જેએમસી ટેકનીકલ યુનિયનની મહેનત રંગ લાવી રહી હોય તેમ ગતસાજે જામનગર મ્યુ.કમિશ્નર સતીશ પટેલ દ્વારા ત્રણ ઉચ્ચ અધિકારી જે ખરેખર હોદાઓ સંભાળી શકે તેટલા સક્ષમ છે તેવા ત્રણ અધિકારીઓને ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર અને કંટ્રોલીંગ અધિકારીના ચાર્જના હુકમ કરી દેવામાં આવ્યા છે.
જેએમસી ટેકનીકલ યુનિયનના પ્રમુખ અને વર્ષોથી શહેરમાં ગમે તેવી વિકટ પાણીની પરિસ્થિતિમાં પાણીનું યોગ્ય મોનીટરીંગ સંભાળી અને ઉમદા કામગીરી કરનાર અને વોટરવર્કસ વિભાગનો બહોળો અનુભવ ધરાવતા પી.સી.બોખાણીને વોટરવર્કસ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર અને કંટ્રોલીંગ અધિકારીનો ચાર્જ આપવામાં આવ્યો છે, જયારે જેએમસી ટેકનીકલ યુનિયનના ઉપપ્રમુખ અને પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના નાયબ ઈજનેર ભાવેશ જાની કે જેવો એ વર્ષોથી શહેરના મહત્વાકાંક્ષી અને શહેરની શોભામાં વધારો કરતા અલગ અલગ પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવી અને દિવસરાત એક કરનાર ભાવેશજાનીને પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર અને કંટ્રોલીંગ અધિકારીનો ઓર્ડર કરવામાં આવ્યો છે.અને બન્ને વિભાગના કંટ્રોલીંગ અધિકારીમાંથી સીટી ઈજનેર શૈલેશ જોશીને મુક્તિ આપવામાં આવતા તેમના કામોનું ભારણ પણ ઘટ્યું છે,
આ ઉપરાંત સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી અને મનપાના સીનીયર અધિકારીઓમાં ના એક અને જે છેલ્લા કેટલાક વર્ષોથી શહેરની સફાઈ સુઘડ રહે તે માટે સતત પ્રત્યનશીલ રહી અને અને સોલીડવેસ્ટ વિભાગનું મોનીટરીંગ કરી રહેલા મુકેશ વરણવાને ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સોલીડ વેસ્ટ વીભાગ અને કંટ્રોલીંગ અધિકારીનો ચાર્જ સોપવામાં આવ્યો છે, મુકેશ વરણવા જેએમસી ટેકનીકલ યુંનીયની સલાહકાર સમિતિના સભ્ય પણ છે. આ તો માત્ર ત્રણ અધિકારીઓ પુરતી વાત થઇ પરંતુ આટલે થી જેએમસી ટેકનીકલ યુનિયન તેનું આંદોલન પૂર્ણ જાહેર કરી દે કે પડતું મુકે તેમ નથી,
યુનિયનના હોદેદારો સાથે થયેલ વાતચીતમાં દરેક કર્મચારી અને અધિકારી જે પ્રમોશનને લાયક છે તેને પ્રમોશન મળવું જોઈએ તેમજ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને યોગ્ય ન્યાય મળે અને યુનિયન દ્વારા આપવામાં આવેલ મુદ્દાઓનું નિરાકરણ થાય પછી જ આંદોલન પૂર્ણ થયું જાહેર કરવામાં આવશે.