Mysamachar.in-જામનગર:
વરસાદનું આગમન હવે નજીક છે, ત્યારે ગતવર્ષ જે રીતે રાજ્યમાં સૌથી વધુ વરસાદ જામનગરમાં થયો હતો અને તંત્રએ મહિનાંઓ સુધી આનુસંગિક કામગીરી કરી હતી અને જનજીવન પૂર્વવત કર્યું હતું, એવામાં આગામી વર્ષારૂતુમાં જો વધુ વરસાદ કે વાવાઝોડા સહિતની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ એલર્ટ મોડ પર હોય તો જરૂરી કામગીરી તુરંત થઇ શકે અને જાનહાની માલહાનિ થતી અટકાવી શકાય..
જામનગર જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી અને અધિક કલેકટર મિતેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જ જામનગર જીલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓની એક બેઠક કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ જેમાં જિલ્લાના તમામ મહેસુલી તથા અન્ય અધિકારીઓ હાજર રહેલા હતા, મહેસુલી તથા અન્ય અગત્યની કામગીરીની સમીક્ષા કરી તેમજ આગામી વરસાદની મોસમ દરમિયાન ફ્લડ કંટ્રોલ રૂમ યોગ્ય રીતે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા તથા આપાતકાલીન પરિસ્થિતિ દરમ્યાન એલર્ટ રહેવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.