Mysamachar.in-જામનગર
વધુ એક વખત પાંચ વર્ષમાં તમામ પ્રકારની પુ્રી પ્રાથમીક સુવિધાઓ નાગરીકોને મળી નહી તેવી બૂમ ઉઠી છે રળીયામણુ શહેર બાદમાં પરંતુ પ્રથમ તમામ પ્રાથમીક સુવિધા મામલે તો નાગરીકોને સંતોષ થવો જોઇએ ને? ત્યારે દરેક નગરસેવકોએ શું કર્યુ? એ સવાલ ઉઠ્યો છે અને દરેકએ પ્રજા પ્રશ્નો કેટલા ઉકેલ્યા? કેટલી ગ્રાંટ પ્રજાની સુવિધામા વાપરી કે પછી કમીટીએ એક સાથે કામ મંજુર કરી ખાતમુહુર્ત કરાવ્યા તેમા જ રાજીપો લઇ લીધો? પ્રજાની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં તંત્ર નિંભર રહ્યુ તો બધા જ ચુટાયેલા (બે પાંચ સક્રિયને બાદ કરતા) સૌ સભ્યો ક્યા હતા? કઇ અંગત કારણોસર વ્યસ્ત રહ્યાને ટર્મ પુરી થઇ ગઇ એવુ તો નથી થયુ ને?પ્રજા એમ પણ પુછે છે.
જામનગર શહેરમા પુરતી પ્રાથમીક સુવિધાઓ ન હોવાની અનેક નાગરીકોની બૂમ છે અમુક તો એવી પણ ટીકા કરે છે કે દર પાંચ વર્ષે ચુંટણી આવે ને જાય પરંતુ નવા આવતા શાસકો પ્રજાના સેવકો તેમનુ સંચાલન કરતા સંગઠન નેતાઓ દરેક ટર્મ વખતે પુરતી સુવિધાઓ આપવામા પાછી પાની કરે છે કાંતો ઉણા ઉતરે છે કાંતો અમુકનુ ધ્યાન ચુંટાયા બાદ બીજી મહત્વની બાબતોમાં વધુ રહેતુ હશે ત્યારે ચુંટણી વખતે અપાતા વાયદાઓ યાદ કેમ નથી આવતા અને બે પાંચ મોટા કામ ગણાવી સંતોષ માનતા પ્રજાસેવકોને ખબર જ છે કે લોકોના રોજ બ રોજના નાના પ્રશ્ર્નો પ્રજા માટે મોટુ મહત્વ ધરાવે છે,
શહેરીજનો પાસેથી વેરો ઉઘરાવવા આંધળી દોટ મુકતુ મનપા તંત્ર ગટર, રોડ-લાઇટ સહિતની સુવિધા આપવામાં પાછી પાની કરતું હોવાની શહેરના રહેવાસીઓએ દરેક સ્તરે અવારનવાર રાવ કરી જ છે અને કરતા જ રહે છે, તો શહેરના રહેવાસીઓએ ભુગર્ભ ગટર આંતરિક સી.સી. રોડ, સ્ટ્રીટ લાઇટ, સફાઇ, નિયમિત અને ચોખ્ખુ પાણી, ખાડા વગરના મેઇન રોડ, ઢોરના ત્રાસ, નાના મોટા દબાણ, રોગચાળા, જંતુ ઉપદ્રવ, આરોગ્ય, ગટરો, પાણીના ભરાવા વગેરે સહિતની બાબતે વ્યક્તિગત કે જુથમાં કે કોઇની આગેવાનીમાં રજૂઆતો કાયમ કરી છે.
નાગરીકો એમ પણ ઉમેરે છે કે વિકાસની વાતો કરતા જામનગર મનપા તંત્રની હકિકત કઇક અલગ જ છે. કહેવાતા જામનગર મનપા તંત્રના અનેક વિસ્તારોના ખુણા ખાંચરા ક્યાક મુખ્ય રોડ ગંદકીથી ખદબદતા અનેક વિસ્તારો ગામડાને પણ વખણાવે તેવા છે અનેક વિસ્તારોમાં સુવિધાના નામે સાવ મીડું છે અરે પાયાની સુવિધા જેવી કે, ભુગર્ભ ગટર, સી.સી. રોડ, સ્ટ્રીટ લાઇટ, સફાઇ કામદારો સહિતની નિયમિત સુવિધાથી અનેક વિસ્તારના લોકો વંચીત છે. શહેરીજનો દ્વારા દર વર્ષે નિયત સમયમાં સફાઇ વેરો, મકાનવેરો, લાઇટ-નળ વેરો ભરવા છતાં સુવિધા ન અપાતા તંત્ર માટે અમુક અમુક વિસ્તાર ઓરમાયા જેવા સાબિત થતા હોય તેવું આવા વિસ્તારવાસીઓને લાગી રહ્યું છે.
ખાસ કરીને અસંખ્ય વિસ્તારવાસીઓને ચોમાસામાં મુશ્કેલીનો કોઇ પાર નથી લોકો પાણીના ખાડા-ગારો-કિચડ ખૂંદીને ઘરે પહોંચવા મજબૂર બને છે.આ ઉપરાંત અવારનવાર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી ફોન મારફતે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર અંધારા ઉલેચવામાં સદતંર નિષ્ફળ નિવડયું છે માટે અનેક મુસીબત વાળા વિસ્તારવાસીઓના પ્રશ્ર્ન ઉકેલવામાં અધિકારીઓને કે ચુંટાયેલા પ્રતિનિધીઓને સહેજે પણ રસ ન હોય તેવું હાલાકી ભોગવતા વિસ્તારોના લોકોને લાગી રહ્યું છે આવુ જ સુધરાઇ વિસ્તારો ગ્રામ્ય વિસ્તારો વગેરેમા હોઇ મહાનગરપાલિકા નગરપાલીકાઓ અને પંચાયત વિસ્તારના દરેક સેવકો-પ્રજાના ચુંટાયેલા સભ્યોની સક્રિયતાનો અને વિકાસ કર્યાનો લોકોના પ્રશ્ર્ન સાંભળ્યાનો તે હલ કર્યાનો ગ્રાંટ વાપર્યાનો પ્રજા હિસાબ માંગે છે, ત્યારે થોડાક સક્રિયને બાદ કરતા સ્થાનિક સ્વરાજ્યના આ સૌ સભ્યો સ્થાનિક શુ કર્યુ શુ હલ કર્યુ શુ આપ્યુ તેનો પ્રજાને જવાબ અને હિસાબ આત્મવિશ્વાસથી આપી શકે તેમ છે? એવો સવાલ પણ સમીક્ષકો પુછે છે.
– ગ્રામ્ય કક્ષાએ પણ આવુ જ હશે?
નગર પાલિકા મહાનગરપાલિકા વિસ્તારોની જેમ જ ગ્રામ્ય પ્રજા પણ સુવિધા ઝંખે છે તેમના પણ દરેક પ્રશ્ર્નો ઉકેલાતા નથી તેવી બુમ ઉઠ્યાનુ જાણવા મળતા સવાલ થાય છે કે ગ્રામ્ય કક્ષાએ પણ આવુજ છે??? તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્યો દરેક એ શુ કર્યુ હશે? કેટલી ગ્રાંટ વાપરી હશે? કાયમી ભલે નાની પરંતુ જનસુવિધા કેટલી કરાવી??? આવા તો અનેક સવાલ ગ્રામજનો પુછે છે ગામડાના રોડની હાલત પાણી ગટરના પ્રશ્ર્નો સ્ટ્રીટ લાઇટ દવાખાના અને શિક્ષણ ની હાલત વગેરે જોવા જઇએ તો પ્રજાને જ ધન્યવાદ આપવા પડે તેમની સહનશક્તિની તેમના જ ચુંટેલા સૌને કદર નથી તેમ ટીકાકારો કહેતા સાંભળવા મળે છે.