Mysamachar.in-જામનગર
કોર્પોરેશનની મિલકત વેરાશાખા જયારે વધુ નાણાભીડ પડે ત્યારે જ વધુ પડતી ઝુંબેશ હાથ ધરે છે, અને ખાસ કંઇ તેમા કંઇ વળતુ નથી એક તરફ રેગ્યુલર કર દાતાઓ તો નિયમિત વેરા ભરે જ છે, પરંતુ બીજી જે નથી ભરતા તેમાંથી પણ ઘણા ઝુંબેશ નોટીસ વોરંટ જપ્તીને પણ દાદ આપતા નથી, તેમા વળી મિલકત વેરાની કુલ આવકના દસટકા થી વધુ હિસ્સો તો જુજ આસામીઓ દબાવી ને બેઠા છે, જે કોર્પોરેશન ને મચક આપતા નથી, છેલ્લા ઓડીટ રિપોર્ટ ઉપરથી સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન એ આ અંગે તાકીદ પણ કરી છે છતાય મિલકત વેરા શાખાએ ગંભીરતા લીધી નથી.
એક લાખથી વધુ મિલકત વેરાની રકમ બાકી હોય તેવા શહેરના ૨૮૦ માલેતુજાર છે. જેણે નિયમિત મીલકત વેરો લાંબા સમયથી ભર ભલામણો થી ભર્યો નથી જેની કુલ રકમ રૂપિયા દસ કરોડથી વધુ થાય છે, માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને આવા મોટા બાકીદારો સામે શુ કાર્યવાહીઓ કરી અને શુ પગલા લીધા તેની વિગત માંગી છે, જોકે ચેરમેનના આ હુકમને હાઉસટેક્સ શાખા ઘોળીને પી ગઇ છે, અને જંગી બાકી લેણા મામલે કંઇ ગંભીરતા નથી લીધી તેની સામે ચેરમેન પણ ઠરાવ કરી ભુલી ગયા છે કે પગલા લેવાયા છે કેમ? ત્યારે પ્રશ્ર્ન એ છે કે ઓડીટ રિપોર્ટ ઉપરના ઠરાવનુ મહત્વ શુ છે?
-સીલ કરવાની કાર્યવાહી સામે સો વિઘ્ન…
મનપાની ટેક્સ શાખાની કઠણાઈ એ પણ છે કે જયારે મિલકત વેરા ના ભરનાર આસામીઓની મિલકત સીલ કરવા મનપાની ટીમ પહોચે તો કોર્પોરેટરો, નેતાઓ અને નામીચા લોકો કામગીરી કરવામાં વિઘ્ન બનીને હાલ પુરતી કોઈ કાર્યવાહી લાગતા વળગતા આસામી પર ના કરવા સુચના આપે છે. એટલે કામગીરી કરવી હોય તો પણ દબાણ આવી જતા ના થઈ શકતી હોવાનું પણ અમુક કિસ્સાઓમાં બને છે.