Mysamachar.in-જામનગર
વીજળીની વધતી મા્ગ સામે કુદરતી રીતે સુર્યમાથી વીજળી ઉત્પન કરાય તેમાટે ગુજરાત સરકાર ખુબ મહેનત તો કરે છે સોલાર પોલીસી પણ બનાવી છે પરંતુ શહેરીજનો રસ લે છે પરંતુ ગ્રામજનો સુર્યશક્તિ યોજનામા ખાસ કઇ રસ દાખવતા નથી જો કે શહેરમા પણ સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલેશન બાદ મીટરીંગ એટેચમેન્ટ મોડા થાય રીડીંગ રેકર્ડ પર નિયમિત ન લેવાય વગેરે સમસ્યાઓનો તો શહેરજનોએ સામનો કર્યો છે સૂર્ય ગુજરાત યોજનામાં જામનગર શહેરના નાગરીકોએ સૌથી વધુ લાભ મેળવીને સોલાર રૂફટોપ યોજનાનો ઉપયોગ કર્યાનું બહાર આવ્યુ છે અને તેની સામે ખેડૂતો માટેની સૂર્યશકિત કિશાન યોજના હેઠળ જામનગર અને દ્વારકાના માત્ર 250 જેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે.
રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા વીજળીની બચત સાથે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાના ઉમદા આશય સાથે પી.જી.વી.સી.એલ. મારફત શરૂ કરેલ યોજના હેઠળ જામનગર જિલ્લામાં તેમજ દ્વારકા જિલ્લામાં ઘર વપરાશ માટેની સૂર્ય ગુજરાત યોજના દ્વારા સોલાર રૂફટોપ યોજના હેઠળ સૌથી વધુ જામનગર શહેરના નાગરીકોએ લાભ મેળવ્યો છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં નબળો પ્રતિસાદ જોવા મળ્યો છે. જામનગર પી.જી.વી.સી.એલ. સર્કલ દ્વારા ઘર વપરાશ માટે સોલાર રૂફટોપ હેઠળ ગત વર્ષે 2834 અરજીઓમાંથી 2602 મંજુર કરવામાં આવી હતી અને 232 અરજીઓ જુદા-જુદા કારણોસર રીજેકટ કરવામાં આવી હોય ત્યારે હવે માત્ર 23 સ્થળોએ સોલારના મીટર લગાડવાનો બાકી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ વર્ષે નવી 520 અરજીઓ આવી છે.
જ્યારે ખેતીક્ષેત્રે સૂર્ય શકિત કિશાન યોજના હેઠળ ગત વર્ષ જામનગર જિલ્લામાં મહા મુસીબતે 5 ફીડરોમાં પી.જી.વી.સી.એલ.એ ટાર્ગેટ પુરો કરીને 250 જેટલા ખેડૂતોને આ યોજનામાં જોડાવવા માટે સમજાવીને કામગીરી પુર્ણ કરવામાં આવી છે. બીજી બાજુ ખેડૂતોના હિતમાં આ યોજના હેઠળ 60 ટકા સબસીડી સાથે 35 ટકા લોનની જોગવાઇ કરવામાં આવી હોવા છતાં સૂર્ય શકિત કિશાન યોજનામાં ઘણી મુશ્કેલી હોવાથી ખેડૂતોએ ઓછો રસ દાખવ્યો હોવાનું બહાર આવ્યુ છે. આ ઉપરાંત સબસીડી વગરની ધંધાદારી તેમજ ઉદ્યોગ ક્ષેત્રની સોલાર યોજના હેઠળ 824 અરજીઓમાંથી 690 અરજીઓ મંજુર કરવામાં આવી હોવાથી બીઝનેશ ક્ષેત્રમાં પણ સૂર્ય ઉર્જાનો ભરપુર ઉપયોગ થવા લાગ્યો છે.
વધુમાં ઘરવપરાશ તેમજ ઉદ્યોગમાં તેમજ ખેતીમાં સોલાર યોજના બાદ રાજ્ય સરકારે ખાનગી ક્ષેત્રે પણ સોલાર પ્લાનની મંજુરી આપવામાં આવતા જામનગર જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે સોલાર પ્લાન ધમધમવા લાગ્યા છે જેમાં અત્યાર સુધીમાં 115 અરજીઓમાંથી 85 ખાનગી સોલાર પ્લાન કાર્યરત થવા પામ્યા છે એ 30 પ્લાનની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો સૂર્ય શકિતના ઉપયોગમાં ખાસ કરીને ખાનગી ક્ષેત્રએ વધુ રોકાણ થઇ રહ્યુ છે જેની સામે ખેતીમાં ઓછો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યુ છે.