Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનની ચુંટણી છે ત્યારે દેખીતુ છે વોર્ડવાર રાજકીયસર્વે થાય તારણ નીકળે તેમજ સતાધારી પક્ષ ભાજપે લોકો માટે શુ કર્યુ છે અને આ વખતે ભાજપના ઉમેદવારો માટે કેવો માહોલ છે એ તમામ અભ્યાસ કરી રાજકીય વિશ્લેષકો જણાવ્યુ છે કે જ્યા માનવી ત્યા સુવિધાનો ભાજપનો સિદ્ધાંત વોર્ડ નંબર 3 મા સો ટકા અમલમા છે, જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર વોર્ડ નંબર 3માં આ રીતે થયો સાકાર થયો હોઇ સુભાષ જોશી, અલ્કાબા જાડેજા, પન્નાબેન મારફતીયા તેમજ પરાગભાઇ પટેલ એમ ચારેય જે ભાજપના ઉમેદવાર છે તેમને સૌ મતદારોએ વધાવી લીધા છે તેમનો ચારેયનો એટલે કે ભાજપની આ પેનલનો વિજય નિશ્ચિત મનાય છે,
-ગમે તે ઉમેદવાર લોકોને ન ગમે…. તેમને તો ભાજપની આ પેનલમા છે તેવા લોકપ્રિય ઉમેદવારો જ જોઇએ છે તેવુ તારણ મળ્યુ
ચુંટણી આવે ત્યારે સ્વાભાવિક મતદારોના મનમાં એક એવા ઉમેદવારની તલાશ હોય જે હંમેશા તેની વચ્ચે રહ્યા હોય રહેવાના હોય અને કામો કરતા રહે અને ચુટાયા બાદ પાંચ વર્ષ સુધી જોવા મળે…. ઉમેદવાર એવા હોય કે લોકોને મતદારોને શોધવા ના જવું પડે પણ સામેથી આવે કામો માટે કહેવું ના પડે પણ કહ્યા વગર કામો થઇ જાય…આ તમામ બાબતોની પૂર્તતા કરતા ઉમેદવારોની પેનલ ભાજપે વોર્ડ નંબર 3 માં ઉતારી છે, જે લોકોની પસંદ બની રહી હોવાનું લોકોના અભિપ્રાય લેતા જાણવા મળે છે, ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસનો કોલ આપે છે અને વિકાસ કરવામાં આગળ છે. “જ્યાં માનવી ત્યાં સુવિધા” ના મંત્ર સાથે સંતોષકારક વિકાસ એ જ ભાજપની અને તેના કોર્પોરેટરોની નેમ છે, વોર્ડ નંબર ત્રણમાં સમાવિષ્ટ વિસ્તારોનો ગત પાંચ વર્ષની ટર્મમાં વોર્ડનો સર્વાંગી વિકાસ કરવામાં ગતટર્મની પેનલ સફળ રહી છે, અને આગામી પાંચ વર્ષમાં પણ જો કોઈ ખૂટતા કામો હશે તો તે કરવાની ભાજપની નવી પેનલે નેમ લીધી છે,
-વોર્ડ નંબર 3 ના દરેક વિસ્તારોમા પ્રાથમીક સુવિધા કોર્પોરેશનની ભાજપ સરકારે કરાવી એક અભ્યાસમા જાણવા મળી વિગતો
વોર્ડનંબર 3 માં પટેલ કોલોની શેરી નં. 1 થી 12, શાંતિનગર, આનંદ કોલોની, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી, નહેરુનગર, ઇન્દ્રદીપ સોસાયટી, હિંમ્મતનગર તેમજ નવા ભળેલ તમામ વિસ્તારો જેવા કે, હાટકેશ સોસાયટી, જયંત સોસાયટી, પંકજ સોસાયટી, વિજયનગર, દ્વારકેશ, પટેલવાડી, માતૃઆશિષ, નાલંદા, શ્રીનાથજી, સંદીપ સોસાયટી જેવી સોસાયટીના આંતરીક રસ્તાઓ સી.સી. રોડ તથા સી.સી. બ્લોકથી સુસજ્જ કર્યા છે. એલ.ઇ.ડી. લાઇટો અને ડી.આઇ. પાઇપ લાઇન દ્વારા પાણીની વ્યવસ્થા તેમજ ભૂગર્ભ ગટરના નવા કનેકશનો આપી ગંદા પાણીનો નિકાલ કરી સ્વચ્છ ભારત મિશનને આગળ વધાયું છે. તો ખુબજ મહત્વનુ કામ જે વર્ષો બાદ થયુ તે હિંમતનગરનો મેઇન રોડ પહોળો કરી ટ્રાફીક સમસ્યા ઓછી કરી છે, ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બજ કલેકશન તથા ડસ્ટબીન આપી સ્વચ્છતા માટે ગ્રાંટનો સદઉપયોગ કર્યો છે. તેમજ 78 ઉતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા તથા સાંસદપૂનમબેન માડમની ગ્રાંટમાંથી વિકાસના કામોને ગતી મળેલ છે, જેને કારણે કોઈ વોર્ડનો કોઈ એક વિસ્તાર નહિ પરંતુ વોર્ડના તમામ વિસ્તારોમાં થયેલ વિકાસના કામો ઉડીને આંખે વળગે છે તેમજ આ અભ્યાસમા એ પણ જાણવા મળ્યું કે લોકો પણ એવું કહેતા સાંભળવા મળે છેકે અમારા વોર્ડમાં હવે કાઈ ઘટતું નથી અને છતાય વિશેષ સુવિધા જોઇએ તો અમને સુભાષભાઇ તેમજ અલ્કાબા તથા પન્નાબેન તેમજ પરાગભાઇ ઉપર ભરોસો છે,બાકી અમારા વિસ્તારમાં કોઈ જોઈએ નહિ…
-લોકસેવાનો અનુભવ અને અગણીત વિકાસકામોનુ ભાથુ છે સાથે… તેમ જણાવતી આ પેનલ
ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3 ના ઉમેવારો સુભાષભાઈ જોશી, અલ્કાબા વિક્રમસિંહ જાડેજા, પરાગભાઈ પી પટેલ અને પન્નાબેન રાજુભાઈ કટારીયા (મારફતિયા) પણ આ વિકાસ યાત્રાને આગળ ધપાવવા સજ્જ છે, અને આ ચારેય ઉમેદવારોએ mysamachar.in સાથે વાતચીત કરતા મતદારો ચારેય ઉમેદવારોને ચુંટીને મનપામાં મોકલશે અને વોર્ડ નંબર 3 માં મતદારોનો વિશ્વાસ અડીખમ રહેશે તેવું ઉમેદવારોનું વાતચીતમાં કહેવું છે.
વિસ્તારમાં ભૂર્ગભ ગટરના કામો હોય કે પછી ડામર રોડ અને સીસીરોડના કામો હોય…સીસી બ્લોકના કામો હોય કે LED લાઈટના કામો હોય…વોર્ડ નંબર 3 નો એકેય વિસ્તાર એવો નહિ હોય જ્યાં આ સુવિધાના કામો થયા ના હોયતો વિસ્તારનો હાર્દસમો કહેવતો આનંદબાગને પણ રીનોવેશન કરી વયોવૃદ્ધ લોકો અંદર બેસી શકે અને બાળકો રમી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો નવા વિસ્તારો પણ વિકાસથી વંચિત ના રહે અને મનપામાં ભળ્યાની અનુભૂતિ વિસ્તારમાં રહેતા લોકોને થાય તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી અને રસ્તાઓ પાણીની પાઈપલાઈનો, ડીઆઆઈ પાઈપલાઈનો, LED લાઈટ સહિતના જરૂરી અને પ્રાથમિક સુવિધાઓના કામો પણ ગત પાંચ વર્ષમાં કરવામાં આવ્યા છે,અને જે કામો બાકી હશે તેને આવનાર 5 વર્ષમાં સમાવિષ્ટ કરવામાં આવશે. તેમ પણ જાણવા મળે છે.
-અમે જાજરમાન જામનગરનો જાજરમાન વોર્ડ નંબર ત્રણ બનાવીશુ જ, ભાજપના ચારેય ઉમેદવારોનો સંકલ્પ
મતદારોના વિશ્વાસે જામનગરનો વિકાસ અને ઝળહળતું જામનગર જાજરમાન જામનગર એ વોર્ડ નંબર 3 નો અહેસાસ…..એ સુત્રો સાથે પેનલના ભાજપના ચારેય ઉમેદવારોએ વધુમા ઉમેર્યુ કે અમે કર્યું ……અમે કરીશું……. અમે કરીને જ રહીશું….. વોર્ડ નંબર 3 નો વિકાસ
-ચાર ઉમેદવારો વિશે લોકોમાંથી જાણવા મળ્યો પોઝીટીવ રીસ્પોન્સ
વોર્ડ નંબર 3 ના ભાજપના પેનલના ઉમેદવારો વિશે લોકોએ જણાવ્યુ કે સુભાષ જોશી જેઓ ગત વખતે આ વિસ્તારના કોર્પોરેટર હતા અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હતા તેમણે નગરના અગણીત વિકાસ કામો મંજુર કરેલા સાથે સાથે આ વોર્ડ નંબર 3 મા પણ અનેક સુવિધાઓ કરાવી અને લોકોની સમસ્યાઓના નિકાલ કરાવ્યા માટે તેમની લોકપ્રિયતા છે તે પ્રચાર દરમ્યાન જોવા મળતી હતી, ગત વખતના કોર્પોરેટર અલ્કાબા જાડેજાએ સતત લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોનીની વાચા આપી છે, માટે જ પ્રચારમા તેમને લોકોએ ઉમળકાથી આવકાર આપ્યો તેમના પતિ વિક્રમસિંહ જાડેજા જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમા રહી લોકસેવા કરે છે આમ આ દંપતિનુ આ વોર્ડ નંબર ત્રણમા અનેરૂ મહત્વ છે, તો વળી પન્નાબેન રાજેન્દ્રભાઇ કટારીયા (મારફતીયા) જેઓ પાયાના કાર્યકરની જેમ લોકસંપર્કમા માહિર છે લોકોની પડખે અડીખમ થઇને રહે છે, પન્નાબેનના મારફતીયા પરિવારનુ પણ એક મુઠી ઉચેરૂ સન્માન છે માટે લોકોએ પ્રચાર વખતે તેમને સારો પ્રતિસાદ આપ્યો છે, 3 નંબરના વોર્ડના ભાજપની આ પેનલના ઉમેદવાર પરાગભાઇ પટેલ યુવાન છે ઉત્સાહી છે અને લોકપ્રિયતામા અગ્રેસર છે અને આ વિસ્તારોમા તેઓ લોકોના સંપર્કમા રહી અવિરત નાના મોટા કામ સહાય મદદ વગેરે જેવી સેવાકીય પ્રવૃતિઓ લોકો માટે કરતા જ આવ્યા છે માટે તેમને પ્રચારમા પોઝીટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે.અને કોંગ્રેસનો પંજો આ વિસ્તારમાં ક્યાય ચાલી શકશે નહિ તેમ જાણવા મળે છે.