Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમા ચુંટાયેલા પ્રજા પ્રતિનિધીઓની ટર્મ પુરી થઇ હોય નગરજનો તેમના વિસ્તારોના તેમજ બીજા ઘણા વિસ્તારોના નગરસેવકોની કામગીરીની સમીક્ષાઓ અને તુલનાઓ કરી રહ્યા છે, ત્યારે થયુ છે એવુ કે દરેક વોર્ડના મળી તમામ કોર્પોરેટરોએ કાયમી લોકસંપર્ક ન જાળવ્યો હોય નાગરીકો ખફા છે, વળી અમુક નગરસેવકો પોતે સામેથી નાગરીકોને મળવા ન જાય પરંતુ નાગરીકોને કામ હોય મળવુ હોય ત્યારે પણ મહામુસીબતે મળે તેવુ બનતુ રહ્યાનુ નાગરીકો જણાવે છે, વળી અમુક તો એવા નગરસેવકો રહ્યા જે પોતાના વિસ્તારના બદલે બીજા વિસ્તારમા વધુ ફર્યા અને પોતાનો તો પુરેપુરો વિસ્તાર ચુંટણી બાદ જોવા પણ નથી ગયા ત્યારે લોકોના પ્રશ્નો જાણ્યા જ ન હોય અને જાણે નહી તો ઉકેલ કેમ લાવી શકે?? આવા સવાલો સ્વાભાવિક છે.
અમુક નાગરીકોની તો એવી હાલાકી હોય છે સામાન્ય દાખલા લેવા પણ લોકો ટલ્લે ચડતા જોવા મળતા રહ્યા હા અમુક કોર્પોરેટરો દાખલા આપવામા નિયમિત સક્રિય રહ્યા તેટલુ આશ્વાસન રહ્યુ હતુ, ઉલ્લેખનીય છે અમુક કોર્પોરેટરોનો તેમના વિસ્તારમા જવાનો નિયમિત ક્રમ રહ્યો પોતાની ઓફીસમા લોકોને મળવાનુ આયોજન વ્યવસ્થિત રજુઆતો અને પ્રજાના કામ કરી લોકપ્રિયતા મેળવી અને જાળવી તેવા ઉદાહરણો પણ છે જેઓ એ પ્રજા પ્રતિનિધી તરીકે સફળ રહ્યા આવા સફળ નગરસેવકોમાં શાસક અને વિપક્ષના ભાઇઓ અને બહેનો કોર્પોરેટરોનો સમાવેશ થાય છે,
એ સિવાય કેટલાક વિસ્તારના અમુક સ્થાનિકોએ એ પાંચ વર્ષમાં કોર્પોરેટરોને જોયા અને તેનું નામ શું છે તે ખબર નથી તેમ પણ કહ્યુ હતુ અને દેખીતુ છે જે પ્રજા માટે ચુંટાયા તેમને વખતો વખત મુલાકાત ન આપે તો લોકો ઓળખે પણ કેવી રીતે? તે સવાલ અસ્થાને નથી જ… અમુક વિસ્તારના લોકોએ કહ્યુ કે નગરસેવકો કે ઉમેદવારો માત્ર ચુંટણી સમયે જ આવે છે અને અમુક નાગરીકોનો સારો ફીડબેક એ પણ મળ્યો કે અમુક નગરસેવકો અમુક પદાધીકારીઓ ખુબ સક્રિય રહ્યા અને મુલાકાત પણ આપતા રહ્યા અને લોકોના કામ પણ કરતા રહ્યા છે. બાકી કેટલા નગરસેવકો ચુંટણી પછી પોતાના વિસ્તારોમા ફર્યા?? કેટલાની રજુઆતો સફળ થઇ?? કેટલા કામ કરાવી શક્યા?? એ તમામ બાબતો મતદારો જાણે જ છે જેનાથી જ આગામી ચુંટણીમા લેખાજોખા થશે તે સ્વાભાવિક છે.