Mysamachar.in-જામનગર:
જામનગર પીજીવીસીએલના અમુક-અમુક સબડીવીઝન અગાઉના ભ્રષ્ટ જીઈબીની હરોળમાં આવી રહ્યાની અનેક બાબતો વખતો વખત બહાર આવતી રહી છે, ત્યારે એક સમયમાં ઉદ્યોગનગર સબડીવીઝનમા ખુબ જ મનમાની કરી જંગી રકમ રળી લઇ કોઇક ઓથના કારણે સર્કલ કચેરીમાં કી પોસ્ટ ઉપર બેસી ગયેલા અધીકારીની અનેક બાબતો ઉપરથી પરદા ઉઠી રહ્યા છે છતાય હજુ તેની સામે નક્કર કાર્યવાહી ન થયાનુ જાણવા મળે છે, આ સમગ્ર બાબતની સમગ્ર પીજીવીસીએલમાં ચર્ચા છે
અગાઉ ઉદ્યોગનગર સબડીવીઝન હેઠળના અમુક રહેણાંક ઝોન કારખાનાઓના બાંધકામ થયેલા છે અને મોટા-મોટા શેડ પથરાય ગયા છે. આશરે 130 થી પણ વધુ આ કારખાનાઓમા થ્રી ફેઈઝ મીટર ઔધોગિક કામગીરી હેતુસરથી થ્રી ફેઈઝ લાઈટીંગ મિટરો અપાયા છે. આવા વીજ જોડાણ નાયબ ઇજનેર જે તે વખતે કોણ હતા તેની તપાસ પૂર્ણ થઇ છે અને તેમણે મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે,
જાણકારોના મતે પહેલા તો સર્વેમાં જતાં સમયે ફાઇલ ડોક્યુમેન્ટ્સ પરથી પ્રત્યક્ષ ખબર જ છે કે અહી થ્રી ફેઈઝ જોડાણ આપવાથી કારખાનાના શેડ ઔધોગિક હેતુફેર કામકાજ કરશે પરંતુ રહેણાક ઝોનમાં પ્રથમ ના પાડી બાદમાં ઇન્ડસ્ટ્રીયલ શેડમાં થી ફેઈઝ પ્રત્યેક કનેકશન દીઠ મોટી ભ્રષ્ટાચાર આદરી એક જ ચોક્કસ અધિકારીએ જોડાણો આપેલા છે જેનો સરવાળો જંગી છે, અને કરોડોમાં પહોચે છે,
આ રહેણાંક ઝોનને સરકારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડિકલેર કરે એ પહેલા જ આ અધિકારીએ શહેરી મંત્રાલયના પાવર્સનો દુરૂપચોગ કરી વીજ જોડાણો આપી દીધા છે. ત્યારબાદ આવા અનેક અન્ય ગુન્હાહિત કૃત્યોને ઢાંકપિછોડો કરવા તરકીબ શોધી લીધી પોતાની બઢતી આવતા આ જ્ગ્યા પર પોતાના જ સાગરીત એવા જુનિયર ઇજનેરને G.I.D.C. નાયબ ઇજનેર તરીકેની બઢતી અપાવા અને તે પણ સ્થાનિક G.I.D.C. માં જ બઢતી અપાવી દીધી સમાન્યત સ્થાનિક એ જ કચેરીમાં બઢતી નિયમો વિરૂદ્ધ હોવા છતાં ગોઠવણ કરી G.I.D.C.માં જ્યાં જુનિયર ઇજનેર તરીકે સહકર્મચારી હતા એમને ત્યાંને ત્યાં બેસાડી દીધા જેથી ગુન્હાહિત કૃત્યોને દબાવી દેવામાં સરળતા રહે.
-25.000/- આપો F.I.R. માથી મુક્તિનો ચાતરવામાં આવ્યો હતો ચીલો…
ઇન્ડિયન ઇલેક્ટ્રિસીટી એક્ટ-2003 એમેન્ડમેન્ટ એક્ટ-2007 કલમ 135 અન્વયે પ્રથમ આકારણી વખતે ગ્રાહકને તક આપવા સુધરી જવા કમ્પાઉન્ડીંગ ઓફ ઓફેન્સીસ ચાર્જ ભરી ફોજદારી ગુન્હા સબબની એફ આઈ આર મા થી મુક્તિ આપવામાં આવે છે. ચર્ચાસ્પદ નાયબ ઇજનેરના સમયગાળામાં એવા અસંખ્ય કેસીસ છે. જેમાં પુરવણી બિલ તથા એફ.આઈ.આર બીજી વખત કે વધારે વખત એક જ ગ્રાહક પકડાય તો પણ રૂ. 25.000/-ના નૈવેદ્ય પછી એફ.આઈ.આર. ક્રિમીનલ પ્રોસીડીગ્ઝ્માંથી મુક્તિ આપી દેવાય છે. એક કનૈયા પાન , આ પેઢી બીજીવાર ત્રીજીવાર ચોથીવાર વીજ ચોરી હેઠળ કલમ 135 અન્વયે પકડાય હોવા છતાં એકપણ વાર તેની સામે એફ આઈ આર થવા નથી દીધી ફોજદારી કાર્યવાહિમાથી બચવા પાર્ટી પાસેથી રૂ.25.000/- લઈને એફ આઈ આર ડ્રોપ કરી દેવામાં આવતી રહી અને કંપનીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતુ આ ગ્રાહકનો રેકોર્ડ તપાસવામાં આવશે. તો ગ્રાહક ચાર-ચાર વખત વીજ ચોરીમાં ઝડપાયા હોવા છતાં કલમ 135 હેઠળની કોઈ કાર્યવાહી કરવામાં નથી.
જો કે ખાતાકીય તપાસમાં પુરાવા મળ્યા છે કે, વીજ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે ત્યારે તપાસ અને તેના અહેવાલ બાદ હવે ભ્રષ્ટ એન્જિનિયરો અને કર્મચારીઓ સામે પીજીવીસીએલના એમ.ડી. શું પગલાં લે છે તેની તરફ સૌની મીટ મંડાયેલી છે.જામનગરની પીજીવીસીએલ કચેરી હેઠળ આવતા દરેડ પાસે પંચકોશી પોલીસ ચોકી, બાયપાસ 2012માં રહેણાંક ઝોન નોટીફાઇ થયેલ છે. 2012થી શેડ અને કારખાનાઓના બાંધકામ શરૂ થયા અને 8 વર્ષમાં 300 કારખાના ખડકાઇ ગયા છે. 2012થી 2020 સુધીમાં જીઆઇડીસી સબ ડિવિઝનના નાયબ ઇજનેરે 300 જેટેલા જોડાણો રહેણાંક હેતુસર આપી દિધા હતા. થ્રી ફેઇઝ-સિંગલ ફેઇઝ જોડાણોમાં સર્વે કરતા નાયબ ઇજનેર જાણતા હતા કે વીજ જોડાણ હેતુફેર થઇ રહ્યું છે.
આ કૌભાંડમાં કારખાનેદાર અને સંબંધિત અધિકારીને આર્થિક ફાયદો થતો રહ્યો પરંતુ સરકારી વિજકંપનીને આર્થિક ફટકો પડતો રહ્યો. કારખાનું બંધાઇ ગયા પછી વીજ જોડાણએ સામાન્ય અને પ્રાથમિક જરૂરિયાત છે.આ ધોરણે 300 જેટલા વીજજોડાણ આરજીપીયુ કેટેગરીમાં અપાઇ ગયા છે.
સર્વે સમયે બાંધકામ ન હોવા છતા વર્ષોથી ખુલ્લા પ્લોટમાં ઔદ્યોગિક જોડાણ અપાયાના પણ કિસ્સા છે. જેમાં એક કિસ્સામાં તો એક જ પ્લોટમાં 6 જોડાણની લ્હાણી કરાઇ છે.પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીના મુખ્ય ઇજનેરે જામનગરના જીઆઇડીસી (દરેડ)માં ગેરકાયદે અપાયેલા હેતુફેરના વીજજોડાણો અંગે ગત માસમાં રાજકોટથી ચેકીંગ ટુકડી મોકલી તપાસ કરાવી હતી. કલમ 135 નીચે બીજી, ત્રીજી, ચોથી કે પાંચમી વખત વીજચોરીમાં પકડાયેલ એક એક ગ્રાહકની સામે ફોજદારી ફરિયાદ ફરજીયાત છે, છતા 200થી વધુ કિસ્સામાં પોલીસ ફરિયાદ ન કરી મોટા ઉઘરાણા કરાયાનું મનાય છે. એક જ શેડમાં એક જ વીજ જોડાણના કંપનીના નિયમના પણ જીઆઇડીસી સબ ડિવિઝન કચેરીએ લીરા ઉડાડયા છે.
છેલ્લા 10 વર્ષથી ચાલતી ઉપરોકત પ્રકારની ગેરરીતીને લીધે પીજીવીસીએલને રૂપિયા 7 કરોડ જેટલી આર્થિક અંદાજીત નુકશાની થયાનું તપાસ દરમ્યાન સાબિત થયું હોવાનું સુત્રો જણાવે છે. ઉચ્ચ અધિકારીના અહેવાલથી પીજીવીસીએલની કોર્પોરેટર કચેરી પણ ચોંકી ઉઠી છે.પરંતુ કોઇ દબાણ હેઠળ આ કૌભાંડના સુત્રધાર નાયબ ઇજનેર અને તેને છાવરનારા સામે પગલા લેતા ખચકાટ અનુભવે છે. તપાસ થઇ ગઇ પરંતુ અહેવાલ ફાઇલમાં રાખી દેવાયા છે.ત્યારે આ સમગ્ર કારીગરી કરનાર કલાકાર સામે કેવા અને શું પગલા લેવાશે તે જોવાનું છે.