Mysamachar.in-જામનગર
જામનગરનુ નઝરાણુ અને પ્રતિષ્ઠા ગણાતી દયારામ લાયબ્રેરીને જુજ કોમર્શિયલ માઇન્ડ ધરાવતા ટ્રસ્ટીઓના કારણે ગરીમા ઝંખવાય તેવુ થયુ એ કે ત્યા છડે ચોક સરાજાહેર ગેરકાયદેસર દુકાનો ખડકાઇ જે નવા જીડીસીઆર મુજબ શક્ય જ નથી માટે ખુબ ફરિયાદો વિરોધ અરજીઓ થઇ હતી અને તોડી પાડવાનુ કોર્પોરેશને નક્કી કર્યુ પરંતુ એક ઉચ્ચ પદાધીકારીનુ હિત આડુ આવ્યુ અને ખેલ પડી ગયો હજુય બાંધકામ માંચડો તોડી પડાયો જ નથી હા તે માટે પોલીસ બંદોબસ્ત પણ આવી ગયેલો છતા પેલા પદાધીકારી એ બધુ અટકાવ્યુ તે મામલે કોર્પોરેશનની જનરલ બોર્ડ જે જામનગરનુ વિધાનસભા ગૃહ જ ગણાય તેમા ચકચારી આક્ષેપ થયા છે, ત્યારથી આ પ્રકરણ વધુ ચકચારી બની ગયુ છે, અને હવે આ બાબતે શુ કરવુ શુ ન કરવુ તેના ગજગ્રાહ કોરપોરેશનની અંદર અને બહાર જે સતાનુ કેન્દ્ર છે નજીકમા પાંચસો મીટરે ત્યા શરૂ થયાનુ જાણવા મલે છે,
જામનગર શહેરમાં ચોતરફ ગેરકાયદેસર બાંધકામોનો માંચડાઓ ખડકાયેલા છે, છતાં તેના પર મનપાનું એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ વિભાગ બધું જ જાણતું હોવા છતાં ઢાંકપીછાડા કરે છે, હા ક્યાંક કોઈનો “વહીવટ” ના થાય અને ત્યાં કાર્યવાહી થાય કે દબાવવા પુરતી કાર્યવાહી થાય તો ઠીક છે, બે દિવસ પૂર્વે ગેલેક્સી ટોકીઝ નજીક 15 જેટલી દુકાનો જે કોઈપણ જાતની પૂર્વ મંજુરી વિના પાકા બાંધકામની ખડકી દેવામાં આવી હતી, જે દુકાનોનું ડીમોલીશન કરવામાં આવ્યું અને તમામ દુકાનોને હાલ તો પાડી નાખવામાં આવી છે, ત્યારે આજે મળેલી મનપાની સામાન્યસભામાં આ મુદ્દ્દો તેમજ દયારામ લાયબ્રેરીના ગેરકાયદેસર દુકાન ખડકાયાનો મામલો ભારે હોબાળો નું કેન્દ્ર બન્યો હતો.
પૂર્વ વિપક્ષ નેતા અને કોંગી કોર્પોરેટર અસ્લમ ખીલજીએ આ મુદ્દા પર પોતાનો સુર ઉઠાવતા કહ્યું કે એ બાંધકામ બે વર્ષના ગાળામાં થયું છે, તો ત્યારે મનપાનું તંત્ર શું કરતુ હતું..? અને જે લોકોએ ત્યાં દુકાનો લીધી હતી તેને પોતાની મરણમૂડી થી દુકાનો લીધી હતી તેના પર મનપાએ કાર્યવાહી કરી ખરેખર જગ્યા વેચાણ કરનાર પર કાર્યવાહી જ નહિ..? અને નાના માણસો પર થતી આવી કાર્યવાહીની અસ્લમ ખીલજીએ વખોડી હતી.
અસ્લમ ખીલજી એ સનસનીખેજ આક્ષેપ કરતા કહ્યું કે આજથી એક વર્ષ પૂર્વે દયારામ લાયબ્રેરીમાં ગેરકાયદેસર દુકાનોને મામલે ફરિયાદો ઉઠતા ત્યાં ડીમોલીશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને પોલીસ પ્રોટેક્શન પણ મળી ચુક્યું હતું. અને ત્યાં ડીમોલીશન શા માટે અટકી ગયું અને એકવર્ષ સુધી ત્યાં હથોડો લાગ્યો જ નહિ તેવો વેધક સવાલ ઉઠાવીને ખીલજીએ આક્ષેપ કર્યો હતો કે સતાધારીપક્ષના એક પદાધિકારીની સંડોવણી છે, અને એટલા માટે જ ત્યાં ડીમોલીશન રોકી દેવામાં આવ્યું હોવાનું કહી અસ્લમ ખીલજીએ એ નિર્દેશ કર્યા પછી હવે એ પદાધિકારી કોણ..? જેની દયારામ લાયબ્રેરીની દુકાનો પર બનેલ ગેરકાયદેસર દુકાનો પર દયા છે. તે વિચારવા સૌ ને મજબુર કરી દીધા છે.
જો કે અસ્લમ ખીલજીએ દયારામ લાયબ્રેરીનું ડીમોલીશન કેમ એક વર્ષ જેટલા સમયથી અટકેલું છે તેનો જવાબ સામાન્યસભા ના અધ્યક્ષ અને કમિશ્નર પાસેથી માંગતા તેઓને કોઈએ જવાબ ના આપ્યો તે બાબત એટલું તો સ્પષ્ટ કરે છે અસ્લમ ખીલજીની કોઈ પદાધિકારીની આમાં સંડોવણીની વાત સાચી છે, જો કે અસ્લમ ખીલજી લડાયક નેતા છે અને આવનાર દિવસોમાં તે દયારામ લાયબ્રેરીના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોણ પદાધિકારીની તેમાં સંડોવણી છે તેનું નામ આપશે અને એવી લડત આપશે કે દયારામ લાયબ્રેરીમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડવા મનપાને મજબુર થવું પડશે તેવુ નિશ્ર્ચિત મનાય છે નહી તો સમગ્ર મામલો ખુલો પડશે લેતી-દેતી ખુલી પડશે ને કોઇની દુકાન તેમા હશે તો તે પણ ખુલી પડશે ત્યારે અત્યાર સુધી ઢાંક પીછોડો કરનારાઓનુ શુ થશે??