Mysamachar.in-જામનગર
ગત 5 વર્ષ જામનગર જીલ્લા પંચાયત પર કોંગ્રેસનો કબજો રહ્યા બાદ તાજેતરમાં યોજાયેલ જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય ચુંટણીમાં વધુ એક વખત જામનગર જીલ્લા પંચાયતનો કબજો કરવામાં ભાજપને સફળતા મળી છે, ત્યારે આજે પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા દ્વારા જામનગર જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી બાદ નામોની જાહેરાત કરવામાં આવી છે જે આ પ્રમાણે છે.હા જો કે નવી બોડી પાસે જીલ્લાના લોકોની કેટલીય રજુઆતો અને માંગ છે તેના પર શાશકો ખરા ઉતરે તેવી લોકો આશા પણ રાખી રહ્યા છે.
-કારોબારી સમિતિ : ચેરમેન ભરતભાઈ ગોરધનભાઈ બોરસદીયા
-અપીલ સમિતિ : ચેરમેન ધરમશીભાઈ રામજીભાઈ ચનિયારા
-જાહેર આરોગ્ય સમિતિ : ચેરમેન જગદીશભાઈ નાથાભાઈ સાંગાણી
-બાંધકામ સમિતિ : ચેરમેન કરશનભાઈ ભીખાભાઈ ગાગીયા
-મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિ : ચેરમેન હર્ષદીપકુમાર પ્રભુદાસભાઈ સુતારીયા
-શિક્ષણ સમિતિ : ચેરમેન લખધીરસિંહ રતુભા જાડેજા
-ઉત્પાદન -સહકાર અને સિંચાઈ સમિતિ : ચેરમેન વિનોદકુમાર ધરમશીભાઈ વાડોદરીયા
-સામાજીક સમિતિ : ચેરમેન ગોમતીબેન મેઘજીભાઈ ચાવડા