Mysamachar.in-જામનગર
કોરોનામાંથી સાજા થયા બાદ પણ ફરીથી કોરોનાના લક્ષણો જોવા મળે તેવુ બની રહ્યુ હોઇ હોસ્પીટલમાંથી રજા મળ્યા બાદ પણ ખૂબ કાળજી લેવી જરૂરી હોવાથી કેન્દ્રના હેલ્થ વિભાગે ગાઇડલાઇન બહાર પાડી ચુસ્ત અમલ કરવા જણાવ્યુ છે, કેમકે કોરોનામાંથી બહાર આવેલા દર્દીને વધુ સતર્ક રહેવાની જરૂર છે કેમકે હજુ સંક્રમણ ફેલાયેલુ છે અને મટી ગયા બાદ ફરીથી કોવિડ થયાના બનાવો દેશભરમા જુદા-જુદા સ્થળોએ જોવા મળ્યા હોઇ તંત્રએ સતર્કતાની સલાહ આપી છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આરોગ્ય સેવાઓનો જનરલ (ઇએમઆર વિભાગ) દ્વારા પોસ્ટ COVID મેનેજમેન્ટ પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા છે.
કોવિડ – સાર્સ-કોવી -2 કોરોના વાયરસથી થતાં રોગ છે તાજી માહિતી રોગના પ્રાકૃતિક ઇતિહાસ વિશે ગતિશીલ ધોરણે જાણીતી છે ખાસ કરીને ફરીથી કોવિડના લક્ષણની ઘટનાઓના સંદર્ભમાં એક નવું સંશોધન દર્શાવે છે કે તીવ્ર કોવિડ -1 illness માંદગી પછી ફરીથી દર્દીઓ થાક, શરીરમાં દુખાવો, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, વગેરે સહિતના વિવિધ ચિહ્નો અને લક્ષણો જોવા મળી શકે છે જે અંગે દર્દી ફરિયાદ કરતા સાંભળવા મળ્યા છે માટે આ બાબતે સંશોધન જરૂરી છે જે સક્રિયપણે સરકારના હેલ્થ વિભાગ દ્વારા હાથ ધરાયા છે
કેમકે એક વખત મટી ગયા બાદ જો ફરીથી કોરોના થાય તો દર્દી માટે વધુ ગંભીર સ્થિતિ બની શકે છે માટે કોવિડમાંથી સાજા થઇને હોસ્પીટલમાંથી રજા મેળવેલા દરદીઓએ ત્યાર પછી એટલે કે ઘરે આવ્યા પછીના પ્રોટોકોલ અનુસરવા જરૂરી છે
-કોરોનાના દર્દીએ સાજા થયા બાદ શુ કરવુ??
જેમાં વ્યક્તિગત સ્તરે માસ્ક પહેરવુ, હાથ નાક ગળુ સ્વચ્છ રાકોવા, સોશ્યલ ડીસ્ટન્સ રાખવુ, રૂમાલથી જમો નાક સાફ કરવા, પૂરતા પ્રમાણમાં ગરમ પાણી પીવો અને આયુષ દવાને પ્રોત્સાહન આપતી રોગપ્રતિકારક શક્તિવાળી દવા લેવી જરૂરી છે, અને જો તબિયત સારી હોય તો ઘરનાં નિયમિત કામ કરવાં જોઈએ અને ધંધા વ્યવસાયિક કે નોકરીઓના કાર્ય ધીમે ધીમે ફરીથી શરૂ કરવા જોઇએ તેમજ હળવા કે મધ્યમ વ્યાયામ કરવા શ્ર્વાસની કસરત કરવી યોગ આસન, પ્રાણાયામ અને ધ્યાનની દૈનિક પ્રેક્ટિસ કરવી તે પણ થાક ન લાગે તેટલા પ્રમાણમા અને ડોક્ટર સુચવે તેટલુ જ કરવુ જોઇએ
ઉપરાંત દરરોજ સવાર અથવા સાંજ શક્તિ મુજબ ખુલ્લી ચોખી હવામા આરામદાયક ગતિએ વોકીંગ કરવુ જરૂરી છે સાથે સાથે સંતુલિત પોષક અને તાજો આહાર લેવો જોઇએ અને પુરતી ઉંઘ અને આરામ જરૂરી છે તથા ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ટાળવુ જોઇએ
-શારીરીક તપાસણી કરવી
આ ઉપરાંત અવારનવાર તાપમાન, બ્લડ પ્રેશર, બ્લડ સુગર (ખાસ કરીને, ડાયાબિટીસ હોય તો), પલ્સ ઓક્સિમેટ્રી વગેરે (જો તબીબી સલાહ આપવામાં આવે તો) ચેક કરવા અને જો સતત સુકિ ઉધરસ ગળામાં દુખાવો આવે છે કે કેમ તે ચેક કરતુ રહેવુ જોઇએ અને તે દરેક બાબતે જરૂર પડ્યે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે કેમકે નિયમિત વરાળ લેતા રહેતા કોગળા કરતા રહેતા હોય પરંતુ તાવ આવે એટલે એલાર્મ સમજવુ જોઇએ
-કઇ સારવાર નિયમિત લેવી??
આયુષ દવાને પ્રોત્સાહન આપતી રોગપ્રતિકારક શક્તિ (ચોક્કસ પ્રવાહ હેઠળ દવા ઉપચારમાં આયુષ કવાથ (150 મિલી; 1 કપ) દરરોજ, સંશમની વટી દિવસમાં બે વાર 500 મિલિગ્રામ (દિવસ દીઠ 1 ગ્રામ) અથવા ગિલોય પાવડર 1 -3 ગ્રામ સામાન્ય ગરમ પાણી સાથે 15 દિવસ માટે અશ્વગંધા 500 મિલિગ્રામ દિવસમાં બે વખત (દિવસ દીઠ 1 ગ્રામ) અથવા અશ્વગંધાનો પાવડર 20 ગ્રામ દરરોજ બે વાર 15 દિવસ માટે અને આમળા ફળ એક રોજ એકવાર આમળા પાવડર મૂળી પાઉડર (શુષ્ક ઉધરસની સ્થિતિમાં) 1- 3 ગ્રામ દરરોજ બે વાર નવશેકા ગરમ પાણી સાથે ગરમ દૂધ (સવારે / સાંજે) હળદર અને સુંઠ સાથે હળવું ચ્યવનપ્રશ 1 ચમચી (5 મિલિગ્રામ) દરરોજ સવારે એકવાર લેવા જરૂરી છેઆયુષ મંત્રાલય દ્વારા એવું પણ સૂચવવામાં આવ્યું છે કે ચ્યવનપ્રાશનો ઉપયોગ સવારે (1 ચમચી) થોડું ગરમ પાણી / દૂધ સાથે કરવો જરૂરી છે.
-ફરી સંક્રમણ થતુ ટાળો એલર્ટ રહો…..વાયરસ નુકસાન પહોચાડતા જ ગયા હોય છે….
એકંદર કોરોના પોઝીટીવ આવે સારવાર માટે દર્દી હોસ્પીટલમા દાખલ થાય તેની સારવાર થાય પછી રજા અપાય ત્યાર બાદ ઘરે આવીને પણ ખુબ ગંભીરતા રાખવાની જરૂર છે માટે ખાસ માર્ગદર્શિકા બહાર પડાઇ છે નહીતો ફરીથી સંક્રમિત થવાની પુરી શક્યતા છે, વળી બીજી તરફ નિષ્ણાંતોના મતે ખોરાક પરેજી દેશી દવા અને નિયમો સાજા થયા બાદ પણ પાળવા એટલા માટે જરૂરી છે કે કોરોના વાયરસનુ સંક્રમણ થયા બાદ સારવાર માટે હોસ્પીટલાઇઝડ થયા બાદ રજા અપાય છે તે દરમ્યાન શરીરના મહત્વના વાયટલ અંગો જેમકે મગજ હ્રદય કીડની ફેફસા ને આ વાયરસથી નુકસાન પહોંચ્યુ હોય તેવી સંભાવના નકારી શકાતી નથી