Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવેલ રણજીતસાગર ડેમમાંથી ગત બપોરે એક યુવકનો મૃતદેહ ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો, આ મામલે મૃતક યુવકના પિતા દ્વારા એક શખ્સ વિરુદ્ધ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં પોતાના પુત્રને મરી જવા મજબુર કરનાર શખ્સ સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુન્હો નોંધાવ્યો છે.
જેની વિગતો પ્રમાણે ટ્રાન્સપોર્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેજાણંદભાઇ અરશીભાઇ ચાવડા જેવો ખોડીયાર કોલોની નીલકમલ સોસાયટીમાં વસવાટ કરે છે તેવોએ ફરિયાદ આપી છે આરોપી મિત હમીરભાઇ ભારવાડીયા રહે.જામનગર વાળા સાથે તેમના પુત્ર મરણજનાર સુનીલ વેજાણંદભાઇ ચાવડા ક્રીકેટના સટામા રોકડ રૂપીયા પાંચેક લાખ હારી ગયેલ હોય જે રૂપીયાની ઉઘરાણી માટે મિત ભારવાડિયાએ મરણજનારનુ 70,000 ની કિમતનું મોટરસાઈકલ ગીરવે રાખેલ તેના રૂપીયા ફરીયાદીએ ચુકવેલ તેમ છતા આરોપી મરણજનારને રુપીયા આપવા માટે અવાર નવાર દબાણ કરી મારી નાખવાની ધમકી આપી મરણજનારને મરી જવા માટે મજબુર કરતા મરણજનાર તેના ત્રાસના કારણે રણજીતસાગર ડેમમા પાણીમા ડુબી જઇ સુનીલે આપઘાત કર્યો હોવાની વિગતો જાહેર થયા બાદ પીએસઆઈ જે.ડી.પરમારે વધુ તપાસ હાથ ધરી છે.