Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, અને જુદા જુદા વિસ્તારોના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે જામનગરમાં આવેલ ધી સીડ્ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા ગ્રેઇનમાર્કેટના વેપારીઓ મજુરો સહિતના સ્વાસ્થ્યના હિતોને લઈને એક મહત્વપૂર્ણ નિણર્ય લઇ અને અખબારી યાદી જાહેર કરાઈ છે.જામનગર શહેરની ચારેય દિશામાં મુખ્ય વિસ્તારોમાં સંક્રમણને લીધે કેસો વધતાં જઇ રહ્યા છે. ત્યારે જામનગર શહેરની ગ્રેઇનમાર્કેટ કે જ્યાં આખો દિવસ શહેરના દરેક વિસ્તારના વેપારીભાઇઓ પોતાના વ્યાપાર ધંધાને અનુલક્ષીને સંકળાયેલા છે.
ત્યારે ગ્રેઇનમાર્કેટ ના દરેક વેપારીભાઇઑ મજૂરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ધી સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનંદમંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠાએ તમામ હોદેદારો તેમજ વેપારીભાઇઓ સાથે પરાર્મશ કરી વેપારીભાઇઓના અભિપ્રાય મેળવી તા.24-06-2020થી ગ્રેઇન માર્કેટના વેપારના સમયમાં ફેરફાર કરવાનું નક્કી કરેલ છે. જે મુજબ વેપારનો સમય સવારે 9-00 થી 2-00 સુધી અને કોઈ વેપારીને માલ ઉતારવાનો બાકી હોય તો એ માટે બપોરે 4-00થી સાંજે 7-00 વાગ્યા સુધી રાખવાનું નક્કી કરેલ છે. આ ફેરફાર ગ્રેઇનમાર્કેટ સભ્ય વેપારીભાઇઓના સ્વાસ્થય માટે તથા કર્મચારીઑ પર જોખમ ઓછું થાય એના માટે સંસ્થાએ સ્વૈચ્છિક નિર્ણય લીધેલ છે. માટે દરેક સભ્યોને સહકાર આપી અમલ કરવા પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.