Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલમાં માસ્કના દંડ મુદ્દે એક કોમ્પ્લેક્ષમાં છેક બીજા માળે પહોચી અને એક વ્યક્તિને ઢોરમાર મારવાનું પ્રકરણ બન્યા બાદ અન્ય વેપારીઓ પણ બે પોલીસકર્મી દ્વારા વારંવાર કરવામાં આવતી કનડગતને મામલે મેદાને આવ્યા હતા અને શનિવાર અને રવિવાર આ મામલો ધ્રોલમાં ભારે ગરમાગરમી રહી હતી, અને મામલો છેક ગાંધીનગર સુધી પહોચતા આ બન્ને પોલીસકર્મીઓ સામે ભોગ બનનારની ફરિયાદ તો સામે ભોગ બનનાર વિરુદ્ધ એમ સામસામી ફરિયાદ પણ નોંધાઈ હતી, જે બાદ આજે આ સમગ્ર બનાવની ગંભીરતાને જોતા જીલ્લા પોલીસ વડા દીપન ભદ્રન દ્વારા વિવાદમાં આવેલ અને જેના પર ગઈકાલે ફરિયાદ નોંધાઈ હતી તે બન્ને પોલીસકર્મીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં મહિપતસિંહ સોલંકીને જામજોધપુર જયારે નીલેશ ભીમાણીને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં મૂકી દેવામાં આવ્યા છે.