Mysamachar.in-જામનગર
લોકડાઉન બાદ અનલોક માં શાળાઓ શરુ થઈ છે, પણ બાળકોને શાળાએ આવવાની છૂટ અપાઈ નથી માટે વિધાર્થીઓનાં અભ્યાસને અસર ન થાય તે માટે સરકારે ઓનલાઈન શિક્ષણ માટે વ્યવસ્થા કરી છે પરંતુ તેના વિપરીત પરિણામો સામે આવી રહયા છે. ઓન લાઈન શિક્ષણનો ભારે વિરોધ થઈ રહયો છે વિધાર્થીઓ મોબાઈલનું દૂષણ વધી રહ્યુ છે તેની વાલીઓને ચિંતા છે અને બીજી તરફ અન્ય જિલ્લામાં એક વિધાર્થીનીનાં આ મામલે આપઘાત કરી લીધાની ઘટનાએ શિક્ષણ વિભાગે પણ ગંભીરતાથી લીધી છે.
જો કે સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોને રોજ માત્ર અર્ધો કલાક જ ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ અપાયો છે. જિલ્લામાં 400 થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ અને પોણા ત્રણસો જેટલી ખાનગી શાળાઓ છે તેમાં ધો. 3 થી 8 માં અભ્યાસ કરતા આશરે ત્રીસ હજાર જેટલા વિધાર્થીઓ છે. શાળાઓ શરુ થઈ ગઈ છે પરંતુ બાળકોને કોરોનાનાં સંક્રમણને લઈને આવવાની મનાઈ છે ત્યારે સરકારે ગત 15 જૂનથી ઓનલાઈન શિક્ષણનો આરંભ કરાવ્યો છે.
જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ધો. 3 થી 8 નાં આખા દિવસમાં માત્ર અર્ધો કલાક જ દૂરદર્શન અને વંદેમાતરમ ચેનલ પર ઓનલાઈન જ અભ્યાસ કરાવવાની સ્પષ્ટ સૂચનાઓ અપાઈ છે. ટીવીની સામે બેસીને જ નિયત સમય માટે અર્ધો કલાક જ ઓનલાઈન અભ્યાસ કરવાનો છે. કોઈ આધુનિક મોબાઈલની પણ જરુર નથી. સરકારની સૂચનાઓ હોવા છતાં કેટલીક ખાનગી શાળાઓ એક – બે કલાક ઓનલાઈન શિક્ષણ આપે છે અને તેના માટે વિધાર્થીઓનાં વાલીઓને એન્ડ્રોઈડ મોબાઈલ ખરીદવા માટે દબાણ કરવામાં આવતુ હોવાની ફરિયાદો ઉઠી છે.
જિલ્લા પંચાયતનાં શિક્ષણ વિભાગને હજુ કોઈ વાલી કે સંસ્થા દ્રારા ફરિયાદ મળી નથી પરંતુ કયાંય પણ સરકારી નિયમોનો ભંગ થતો હશે અથવા તો ઓનલાઈન શિક્ષણ નામે વિધાર્થીઓ પર ભારણ વધારવામાં આવતુ હશે તો જે – તે શાળાને નોટીસ આપી પગલા લેવામાં આવશે. તેવી ખાત્રી અપાઇ છે વર્ષ 2009 નાં આરટીઇ એકટ મુજબ પણ બાળકોને માનસિક ત્રાસ થાય થતો હોય તેવી કોઈ કામગીરી ન કરવી જોઈએ તેવી જોગવાઈ પણ છે.
જો કયાંય પણ કોઈ શાળા આ નિયમોનો ભંગ કરતી હોવાની ફરિયાદ થશે તો તેની સામે પગલા વિભાગ દ્રારા પગલા લેવામાં આવશે તેમ જણાવાયુ છે પરંતુ આ ઓનલાઇન પ્રકારની શિક્ષણ ની બબાલ વિદ્યાર્થીઓમા સ્વીકારાઇ નથી અને વાલીઓ પણ હેરાન થઇ રહ્યા હોવાના અસંખ્ય ઉદાહરણો જોવા-સાંભળવા મળે છે.
-ખાનગી શાળાઓની શિક્ષકો સહિતના સ્ટાફને સાચવવાની જવાબદારી
અમુક શાળાઓએ માનવતાને નેવે મૂકી છે, તો અમુક ખાનગી શાળાઓ આજે પણ શાળા સાથે વર્ષોથી જોડાયેલ શૈક્ષણિક સહિત સ્ટાફની ચિંતા કરી અને તેમને નિયમિત પગાર આપી શકાય તે માટે પ્રયાસ કરી રહી છે, આ બાબત એટલા માટે પણ સરાહનીય છે કે કેટલાય શિક્ષકોના ઘર જ શાળાના પગાર પરથી ચાલતા હોય છે, ત્યારે અચાનક જ પગાર બંધ થઈ જાય તો કેવી સ્થિતિ થાય તે સમજી શકાય તેવી વાત છે.