Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં તાજેતરમાં જ શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતીં અને ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની જે તણાવમાં રહેતી હોય તેણીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યા બાદ વધુ એક વિદ્યાર્થીનીએ જિંદગીનો અંત આણી લીધો છે, શહેરના રામેશ્વરનગર ગાયત્રી નગરમાં વસવાટ કરતી 17 વર્ષીય પુજાબા બહાદુરસિંહ વાળા નામની વિદ્યાર્થીની ધોરણ 10 માં બે વખત નાપાસ થઇ હોય તે નાશીપાસ થતા ગુમસુમ રહેતી હોય જેને પોતાના હાથે જ ગળેફાંસો લગાવી જિંદગી ટૂંકાવી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.