Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે રવિવારે 21 તારીખે મતદાન થશે માટે હવે ગણતરીના દિવસો આમ તો ગણતરીના કલાકો જ કેવાય તેટલો સમય બાકી છે, ત્યારે વોર્ડ નંબર 14 મા એક જનરલ એનાલીસીસ કરવામા આવ્યુ તો જાણવા મળ્યુ છે કે યુવા ઉમેદવાર મનીષ કટારીયા સહિતના ભાજપના ચારેય ઉમેદવારો આ વિસ્તારમા છવાઇ ગયા છે, કેમકે પ્રચાર દરમ્યાન લોકોનો જે ઉમળકો તેઓને મળે છે તે જોતા એવુ લાગે છે આ પેનલ જંગી બહુમતીથી જીતશે અહી કોંગ્રેસને કોઇ ચાન્સ નથી કેમકે ઉમેદવારો એવા છે જે લોકો માટે રાત દિવસ દોડે છે, તેમજ શિક્ષીત અને સમજુ છે ઉપરાંત ભાજપની કોર્પોરેશનની કે રાજ્યની સરકારે આ વિસ્તારમા ખૂબજ વિકાસ કર્યો છે, આ બધુ જ જોતા ભાજપનુ કમળ 14 નંબરમા સોળે કળાએ ખીલશે તેવો માહોલ પ્રચાર દરમ્યાન જોવા મળ્યો છે.
રાજકીય વિશ્લેષકો પણ કહ્યુ છે કે જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના મતદાનને આડે હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે વોર્ડ નંબર 14 ના ભાજપા પક્ષ દ્વારા પસંદગી પામેલા નિષ્ઠાવાન, પ્રમાણિક અને કાર્યશીલ ઉમેદવારોને જબરો પ્રભાવ છે, પ્રચારમાં જબ્બર આવકાર મળી રહ્યો છે, અને કોંગ્રેસ પક્ષ સહિતના સુપડા એવા તો સાફ થશે કે ના પૂછો વાત આવો ભાજપ તરફી જબરો માહોલ આ વિસ્તારમાં જોવા મળે છે.
– યુવા ઉમેદવાર, મનીષ પરસોત્તમભાઈ કટારીયા
વોર્ડ નંબર 14 નો બોલતો યુવા ચહેરો મનીષભાઈ પોતાની યુવાવયથી ભાજપ સાથે જોડાયેલ છે, વોર્ડના લોકોના સુખ-દુ:ખમાં સહભાગી થવા સદાય તત્પર અને સામાજિક, ધાર્મીક સંસ્થાઓના કાર્યક્રમમાં સદાય સહકાર આપવાની ઉત્સુકતા, સર્વ જ્ઞાતિઓ સાથે સમભાવ ધરાવનાર, અને પાછા શિક્ષિત અને બી.એ. સુધીના અભ્યાસ સાથે બ્રાસપાર્ટસ મેન્યુ. વ્યવસાય સાથે જોડાયેલ છે. ભાજપના પ્રાથમિક સભ્યથી શરૂઆત કરી શહેર યુવા ઉપાધ્યક્ષ જામનગર શહેર અને ત્યારબાદ યુવા અધ્યક્ષ જામનગર શહેર તરીકે જવાબદારી સંભાળેલ. આ ઉપરાંત કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ જામનગરના મંત્રી તરીકે કાર્યરત મનીષભાઈએ લોકોને હંમેશા મદદરૂપ થવાની ભાવના હોય બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્યને લગતી સેવાઓ માટે હંમેશા તત્પરતા દર્શાવેલ છે. ક્રિકેટ ટુર્નામેન્ટોનું સફળ આયોજન કરી યુવા પ્રતિભાઓને પ્લેટફોર્મ અપાવવામાં પણ તેને સક્રિય ભૂમિકા ભજવી છે.
-યુવા ઉમેદવાર જીતેશ વિનોદભાઇ શીંગાળા
10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રહી જીતેશભાઇ શીંગાળાએ ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય તરીકે સક્રિય જવાબદારી નિભાવેલ છે. કોળી સેના જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી કરેલ છે. આરોગ્યલક્ષી સેવાઓ, બ્લડ ડોનેશન કેમ્પો, ઉપરાંત જી.જી.હોસ્પિટલમાં બહારગામથી આવતા દર્દીઓની સેવા કરવામાં અગ્રેસર ઉપરાંત શિવ શોભાયાત્રા તેમજ રામસવારીમાં સક્રિય યોગદાન આપી ધાર્મીક ફરજ પણ નિભાવેલ છે. ઉપરાંત વિવિધ સરકારી ભરતીઓ માટે બહારગામથી આવતા કોળી સમાજનાં વિદ્યાર્થીઓ માટે સક્રિય યોગદાન આપેલ છે.
-ઉમેદવાર લીલાબેન દિનેશભાઇ ભદ્રા
લીલાબેન ભદ્રાના પતિ દિનેશભાઇ ખેતશીભાઇ ભદ્રા (ડી. ભદ્રા) છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલ છે. આ દરમ્યાન તેમણે બે ટર્મ સુધી વોર્ડ મહામંત્રી, એક ટર્મ વોર્ડ પ્રમુખ અને વર્તમાનમાં પણ વોર્ડ મહામંત્રી તરીકેની સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. સીંધી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ જામનગરમાં કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. લીલાબેન ભદ્રાએ પાંચ વર્ષ સુધીના પોતાના કોર્પોરેટર તરીકેના કાર્યકાળમાં આરોગ્યને લગતી સેવાઓ, બ્લડ ડોનેશન કેમ્પ, જી. જી. હોસ્પીટલની કામગીરી તેમજ સામાજિક સેવાઓમાં અગ્રેસર રહી જનકલ્યાણના કાર્યોમાં મોખરે રહ્યા છે. તેમની સફળ કામગીરી અને લોક ચાહનાને ધ્યાને લઇ ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નં. 14માં મહિલા પ્રતિનિધી તરીકે ફરીથી તક આપેલ છે.
-ઉમેદવાર શારદાબેન ખીમજીભાઇ વિંઝુડા
બી.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરી જનસેવા કરવાના હેતુ સાથે 20 વર્ષથી ભાજપા સાથે જોડાઇ પ્રા. શિક્ષણ સમિતિમાં સભ્ય તથા મહિલા મોરચા મહામંત્રી તરીકે જવાબદારી નિભાવેલ છે. હાલમાં મહિલા મોરચા જામનગર શહેર અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહેલ છે. આ ઉપરાંત નવાનગર કો. ઓપ. બેંકમાં ડાયરેકટર તરીકે જવાબદારી નિભાવી રહેલ છે. મહિલા સશક્તિકરણ માટેની યોજનાઓ ઉપરાંત વિધવા સહાય યોજના, વૃધ્ધ પેન્શન યોજના ઉપરાંત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓમાં સક્રિય રહી જરૂરિયાતમંદોને લાભ અપાવેલ છે. આરોગ્ય ક્ષેત્રે, જી. જી. હોસ્પિટલની સેવાઓ, બ્લડ ડોનેશન કેમ્પો, સર્વરોગ નિદાન કેમ્પો, યોજવા ઉપરાંત શહેરની સેવાકીય સંસ્થાઓ જેવી કે, લાયન્સ ક્લબ, જાયન્ટસ ક્લબના માધ્યમથી અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓમાં સક્રિય રહી કાર્ય કરેલ છે. આ ઉપરાંત સામાજિક, ધાર્મીક કામોમાં સક્રિય ભૂમિકા નિભાવેલ છે.
-ભાજપના આ ચારેય ઉમેદવારોનો પ્રચારમાં આવ્યા હતા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલ
વોર્ડ નંબર 14 માં બે યુવા ચહેરાઓ મનીષભાઈ કટારીયા અને જીતેશભાઈ શિંગાળા સહિતની પેનલના પ્રચાર માટે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલ પણ તાજેતરમાં આવ્યા હતા અને તમામ ઉમેદવારોને સાથે રાખીને પ્રચાર કરતા પ્રચારમાં પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો અને લોકોએ આ પેનલને વિજેતા બનાવશે તેવી ખાતરી પણ ઋત્વિજ પટેલને આપી હતી.
-વોર્ડ નંબર 14 મા ભાજપ સરકારે કરાવ્યા અગણીત વિકાસ કામ
-વોર્ડ નંબર 14 મા ભાજપની સરકારે અગણીત વિકાસ કામો કરાવ્યા છે જેમાથી અમુક જોઇએ તો
-વિવિધ ગ્રાન્ટ માંથી અલગ અલગ વિસ્તારોમાં રોડ પાઈપ ગટર ભૂગર્ભ LED લાઈટ પાણીની લાઈનના કામ વગેરે કામો લાખો ના ખર્ચે પૂર્ણ કરવા માં આવ્યા છે.
-પાણા ખાણ વિસ્તાર માં 90ટકા રોડ ના કામ પૂર્ણ કરેલ છે.
-ભૂગર્ભ ગટર, પાઈપ ગટર ના કામ
-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રોડ તથા સી સી બ્લોક ના કામ
-આંગણવાડી(નંદઘર) ના નિર્માણ
-હાલમાં વોર્ડ નં 14 માં આવેલ ભુજીયા કોઠા ના રીસ્ટોરન્ટ નું કામ
-મનીષભાઇ તથા જીતેશભાઇ તેમજ લીલાબેન અને શારદાબેનની કોરોનાના કપરાકાળમા સંવેદનાસભર સેવાને લોકો ભુલશે નહી
વોર્ડ નંબર 14 ના આ ઉમેદવારો મનીષ પરસોત્તમભાઈ કટારીયા, જીતેશ વિનોદભાઇ શીંગાળા લીલાબેન દિનેશભાઇ ભદ્રા અને શારદાબેન ખીમજીભાઇ વિંઝુડા એ લોકોના સહયોગથી સંસ્થાઓને સાથે લઇ સરકારી વિભાગોની મદદથી તેમજ ભાજપ સંગઠન અને ભાજપ શાષિત કોર્પોરેશન ની મદદથી કોરોનાના કપરાકાળમા આ વિસ્તારમા સંવેદનાસભર સેવા કરી તે લોકો ભુલશે જ નહિ જેમાં લોકડાઉન દરમ્યાન અનાજની કીટના જરૂરીયાતમંદ લોકોને વિતરણ અને પાણાખાણ વિસ્તારમાં ભોજનની વ્યવસ્થા ઉપરાંત પરપ્રાતિય શ્રમિકો માટે કલેકટરને રજૂઆત કરી અનાજની કીટ વિતરણ કરાવ્યા સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરાવવું તેમજકોરોનાના દર્દીઓને હોસ્પિટલની સેવા તથા માર્ગદર્શન આપવા પણ ટીમ દોડતી રહી છે.
-વોર્ડ 14 ની જંગી જાહેર સભા યોજાઈ, મંત્રી આર.સી.ફળદુ પણ રહ્યા હાજર
વોર્ડ નંબર 14 ની પેનલને સમર્થન માટે વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ પેનલની જીત જાણે વોર્ડની હજારોની જનમેદની એ નક્કી કરી લીધી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો, જાણે આ વોર્ડ પુરતી જ નહિ પરંતુ સમગ્ર શહેરની સભા હોય એવી જનમેદની વચ્ચે કોર્પોરેશનના કામોની વણજારા બાબતે ચર્ચા કરી તો મનીષ કટારીયાની અપીલ અને ભાષણથી લોકોમાં જોમ અને જુસ્સાનો વધારો થયો વિવિધ સમજો અને મંડળોના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભાથી આ પેનલનો જીતનો આશાવાદ વધુ મજબુત થઇ ચુક્યો હતો.