Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલીકાની ચુંટણી માટે કલાકોનો સમય બાકી છે, ત્યારે મતદારોનો મતદાન વખતે શુ મિજાજ રહેશે, તેનો રાજકીય સર્વેક્ષણ કરવામા આવ્યુ તો “જ્યા માનવી ત્યા સુવિધા “નો ભાજપનો સિદ્ધાંત વોર્ડ નંબર 3 મા સો ટકા અમલમાં હોય તેમજ વ્યાપક જન સુવિધાથી નાગરીકો ખુશખુશાલ હોઇ સુભાષ જોશી સહિતના ભાજપના ચારેય ઉમેદવારો પ્રચંડ લીડથી જીતવાના છે, તેવુ તારણ નીકળ્યુ છે અને કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ ગુલ થશે અને કેસરીયો કેસરીયો છવાશે તેમ પણ વિશ્લેષકોએ ઉમેર્યુ છે કેમકે લોકોને ખાત્રી છે કે વોર્ડ નંબર 3 ની વણથંભી વિકાસ યાત્રા સુભાષ જોશી તેમજ અલ્કાબા જાડેજા અને પન્નાબેન મારફતિયા તથા પરાગભાઇ પટેલ હજુ આગળ ધપાવશે તે ખાત્રી હોઇ મતદારોએ આવતીકાલે ભાજપના આ ચારેય નિષ્ઠાવાન ઉમેદવારોને મત આપવાનું મન બનાવી લીધું છે,
કદાચ એવું બનશે કે જામનગરના તમામ વોર્ડમાં સૌથી વધુ લીડ આ વોર્ડમાં ભાજપના ઉમેદવારોની નીકળશે અને કોંગ્રેસનો સફાયો બોલી જશે અને સુભાષ જોશી સહિતની ટીમનો દબદબો આ વિસ્તારમાં અકબંધ રહેશે અને વિકાસની ગાડી આ વિસ્તારમાં સડસડાટ ચાલતી જ નહી દોડતી રહેશે તેવો છેલ્લી ઘડીનો માહોલ છે કેમકે લોકોને બિલાડીના ટોપની જેમ ફુટી નીકળતા અને આયાતી અને માત્ર ચુંટણી સમયે જ દેખાઈ આવતા ઉમેદવાર નથી જોઇતા તે વાત આ વિસ્તારમાં નક્કી છે,
જામનગર કોર્પોરેશનની ચુંટણી છે ત્યારે દેખીતુ છે વોર્ડવાર રાજકીયસર્વે થાય લોકોના અભિપ્રાયો મેળવાય તારણ નીકળે તેમજ સતાધારી પક્ષ ભાજપે લોકો માટે શુ કર્યુ છે અને આ વખતે ભાજપના ઉમેદવારો માટે કેવો માહોલ છે એ તમામ અભ્યાસ કરી રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું કે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર વોર્ડ નંબર 3 માં આ રીતે થયો સાકાર થયો હોઇ સુભાષ જોશી, અલ્કાબા જાડેજા, પન્નાબેન મારફતીયા તેમજ પરાગભાઇ પટેલ એમ ચારેય જે ભાજપના ઉમેદવાર છે તેમને સૌ મતદારોએ વધાવી લીધા છે તેમનો ચારેયનો એટલે કે ભાજપની આ પેનલનો વિજય નિશ્ચિત મનાય છે, તો વરસાદી દેડકાની જેમ બહાર નીકળતા ઉમેદવાર લોકોને ન ગમે તેમને તો ભાજપની આ પેનલમા છે તેવા લોકપ્રિય ઉમેદવારો જ જોઇએ છે તેવુ તારણ મળ્યુ,
ચુંટણી આવે ત્યારે સ્વાભાવિક મતદારોના મનમાં એક એવા ઉમેદવારની તલાશ હોય જે હંમેશા તેની વચ્ચે રહ્યા હોય રહેવાના હોય અને કામો કરતા રહે અને ચુટાયા બાદ પાંચ વર્ષ સુધી જોવા મળે…જયારે વરસાદી દેડકા જેવા ઉમેદવારો કે મોટી-મોટી વાતો કરે અથવા જેમના પક્ષમા કઇ સંગઠન જેવુ ન હોય એકતા ન હોય લોકોને માટે શુ કરવુ તેનુ વિઝન ન હોય લોકોને કઇ સુવિધા ખુટે છે તે ખબર જ ન હોય અને ચુંટણી લડવા નીકળી પડ્યા હોય વળી ગુમ થનારા લોકો હોય તેને લોકો થોડા કઇ વિજયી બનાવે ?? ન જ બનાવે આમ એક તરફી માહોલ આ વિસ્તારમાં ચાલશે તેવું લોકોનો અભિપ્રાય લેતા જાણવા મળે છે.
-ભાજપ શા માટે જીતે
ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસનો કોલ આપે છે અને એ કોલ મુજબ પ્રજા માટે વિકાસ કરવામાં હંમેશા આગળ છે. “જ્યાં માનવી ત્યાં સુવિધા” ના મંત્ર સાથે સંતોષકારક વિકાસ એ જ ભાજપની અને તેના કોર્પોરેટરોની નેમ છે, વોર્ડ નંબર 3 માં સમાવિષ્ટ વિસ્તારોનો ગત પાંચ વર્ષની ટર્મમાં વોર્ડનો સર્વાંગી વિકાસ કરવામાં ગતટર્મની પેનલ સફળ રહી છે, અને આગામી પાંચ વર્ષમાં પણ જો કોઈ ખૂટતા કામો હશે તો તે કરવાની ભાજપની નવી પેનલે નેમ લીધી છે
-વોર્ડ નંબર 3 ના દરેક વિસ્તારોમા પ્રાથમીક સુવિધા કોર્પોરેશનની ભાજપ સરકારે કરાવી છે જેમાં
પટેલ કોલોની શેરી નં. 1 થી 12, શાંતિનગર, આનંદ કોલોની, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી, નહેરુનગર, ઇન્દ્રદીપ સોસાયટી, હિંમ્મતનગર તેમજ નવા ભળેલ તમામ વિસ્તારો જેવા કે, હાટકેશ સોસાયટી, જયંત સોસાયટી, પંકજ સોસાયટી, વિજયનગર, દ્વારકેશ, પટેલવાડી, માતુ આશિષ, નાલંદા, શ્રીનાથજી, સંદીપ સોસાયટી જેવી સોસાયટીના આંતરીક રસ્તાઓ સી.સી. રોડ તથા સી.સી. બ્લોકથી સુસજ્જ કર્યા છે.
એલ.ઇ.ડી. લાઇટો અને ડી.આઇ. પાઇપ લાઇન દ્વારા પાણીની વ્યવસ્થા તેમજ ભૂગર્ભ ગટરના નવા કનેકશનો આપી ગંદા પાણીનો નિકાલ કરી સ્વચ્છ ભારત મિશનને આગળ વધાયું છે. તો ખુબજ મહત્વનુ કામ જે વરસો બાદ થયુ તે હિંમતનગરનો મેઇન રોડ પહોળો કરી ટ્રાફીક સમસ્યા ઓછી કરી છે ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બજ કલેકશન તથા ડસ્ટબીન આપી સ્વચ્છતા માટે ગ્રાંટનો સદઉપયોગ કર્યો છે. તેમજ 78 ઉતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા તથા સાંસદપૂનમબેન માડમની ગ્રાંટમાંથી વિકાસના કામોને ગતી મળેલ છે જેને કારણે કોઈ વોર્ડનો કોઈ એક વિસ્તાર નહિ પરંતુ વોર્ડના તમામ વિસ્તારોમાં થયેલ વિકાસના કામો ઉડીને આંખે વળગે છે,
તેમજ આ અભ્યાસમા એ પણ જાણવા મલ્યુ કે લોકો પણ એવું કહેતા સાંભળવા મળે છેકે અમારા વોર્ડમાં હવે કાઈ ઘટતું નથી અને છતાય વિશેષ સુવિધા જોઇએ તો અમને સુભાષભાઇ તેમજ અલ્કાબા તથા પન્નાબેન તેમજ પરાગભાઇ ઉપર ભરોસો છે કેમકે આ ભાજપના ઉમેદવારો પાસે લોકસેવાનો અનુભવ અને અગણીત વિકાસકામોનુ ભાથુ છે,
-વોર્ડ નંબર 3 નો એકેય વિસ્તાર એવો નહિ હોય જ્યાં આ સુવિધાના કામો થયા ના હોયતો
વોર્ડ નંબર 3 ના ભાજપના પેનલના ઉમેદવારો વિશે લોકોએ જણાવ્યુ કે સુભાષ જોશી જેઓ ગત વખતે આ વિસ્તારના કોર્પોરેટર હતા અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હતા તેમણે નગરના અગણીત વિકાસ કામો મંજુર કરેલા સાથે સાથે આ વોર્ડ નંબર 3 મા પણ અનેક સુવિધાઓ કરાવી અને લોકોની સમસ્યાના નિકાલ કરાવ્યા માટે તેમની લોકપ્રિયતા છે તે પ્રચાર દરમ્યાન જોવા મળતી હતી તો ગત વખતના કોર્પોરેટર અલ્કાબા જાડેજા એ સતત લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોની વાચા આપી છે માટે જ પ્રચારમા તેમને લોકોએ ઉમળકાથી આવકાર આપ્યો તો વળી પન્નાબેન રાજેન્દ્રભાઇ કટારીયા(મારફતીયા) જેઓ પાયાના કાર્યકરની જેમ લોકસંપર્કમા માહિર છે લોકોની પડખે અડીખમ થઇને રહે છે પન્નાબેનના મારફતીયા પરિવારનુ પણ એક મુઠી ઉચેરૂ સન્માન છે માટે લોકોએ પ્રચાર વખતે તેમને સારો પ્રતિસાદ આપ્યો છે, 3 નંબરના વોર્ડના ભાજપની આ પેનલના ઉમેદવાર પરાગભાઇ પટેલ યુવાન છે ઉત્સાહી છે અને લોકપ્રિયતામા અગ્રેસર છે અને આ વિસ્તારોમા તેઓ લોકોના સંપર્કમા રહી અવિરત નાના મોટા કામ સહાય મદદ વગેરે જેવી સેવાકીય પ્રવૃતિઓ લોકો માટે કરતા જ આવ્યા છે માટે તેમને પ્રચારમા પોઝીટીવ રિસ્પોન્સ મળ્યો હતો તેવી જ રીતે મતદાનમા ખોબલે ખોબલે મત મળશે કેમકે ભાજપના આ ચારેય ઉમેદવારો માટે મતદારોનો ઉમળકો અત્યારેય છેવટ સુધી અકબંધ અને પોઝીટીવ અભિપ્રાય જ મળ્યો હોઇ કેસરીયો અહી જંગી લીડથી લહેરાશે તેમ સર્વેમા જાણવા મળ્યુ છે.