Mysamachar.in-જામનગર
જામનગર શહેરના વોર્ડ નંબર 1 ની ભાજપના શાસનમા કાયાપલટ થઇ અને નાગરીકોની અનેક સુવિધાઓ થઇ છે, તેમ મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ઉદઘાટન વખતે રાજ્યમંત્રી હકુભા જાડેજાએ જણાવ્યુ હતુ ભાજપના મંત્રી ધારાસભ્ય આગેવાનો સૌ એ નાગરીકોને જણાવ્યુ કે ભાજપ સિવાય કોઇને મત આપશો તો મત વેડફી નાખશો કેમકે જનસુખાકારી બધી જ સુવિધા જેમકે પાણી, ગટર, રોડ સ્ટ્રીટ લાઇટ, સફાઇ, આરોગ્ય, શિક્ષણ વગેરે લોકો માટે ભાજપે કરેલી સુવિધા છે તે લોકો પણ સ્વીકારે છે માટે જ ભાજપની સતા આવવાની છે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો,
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારો પ્રચારમાં પ્રચંડ પ્રતિસાદ મેળવી રહ્યા છે, અને હરીફોનું તો જાણે આ વિસ્તારમાં ખાતું પણ ના ખુલે તેવી શક્યતાઓ અત્યારથી જ વર્તાઈ રહી છે, ત્યારે ગતસાંજે વોર્ડ નંબર 1 ના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારે આ વિસ્તારમાં વસવાટ કરતા દરેક સમાજના લોકો ઉમળકાભેર આ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા, અને ચારેય દોડતા ઉમેદવારો ઉમરભાઇ ઓસમાણભાઇ ચમડીયા (ઉમરભાઇ પટેલ), ફિરોઝભાઇ હુસેનભાઇ પતાણી, હુશેનાબેન અનવરભાઇ સંઘાર, મનિષાબેન અનિલભાઇ બાબરિયાને જીત અપાવવા આગેવાનોએ કરેલ હાકલને લોકોએ જીલી લઇ અને ચારેય ઉમેદવારોને જંગી મતોથી જીતાડવાનું વચન આપ્યું હતું. આ તકે હાજર રહેલા મહાનુભાવોએ તેમના ભાષણોમાં લોકોને વિવિધ મુદ્દાઓની સમજણ આપી શા માટે ભાજપને મત આપવો તે અંગે અવગત કરાવ્યા હતા,
-તમારો કીમતી મત કોંગ્રેસને આપી વેડફી ના નાખતા, કારણ કે કોર્પોરેશનમાં ભાજપનું જ શાશન આવશે: ધર્મેન્દ્રસિંહ જાડેજા:રાજ્યમંત્રી
રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના ઉદબોધન દરમિયાન વોર્ડ નંબર 1 માં થયેલા વિકાસકામોની વણજાર વર્ણવતા કહ્યું કે વર્ષો પૂર્વ આ વિસ્તારની શું સ્થિતિ હતી અને હવે કેટલો ફરક પડ્યો તેના સૌ આ વિસ્તારના રહેવાસીઓ સાક્ષી છે, તેવોએ વધુમાં કહ્યું કે આ વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસના કામો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે, ઉપરાંત રોડરસ્તાની સુવિધાઓમાં ઉણપના રહે તેના પર સતત નજર રાખી છે, વોર્ડ નંબર 1 માં પહેલા 3 શાળાઓ હતી હમણાં 3 સ્કૂલો નવી મંજુર કરવી, ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, આં વિસ્તારની સ્થિતિ બદલાઈ છે અને એક સમય હતો જયારે વોર્ડ નંબર 1 ના કેટલાક વિસ્તારની બેહેનોને બેડા લઈને પાણી ભરવા જવું પડતું આજે ત્યાં પાણીની લાઈનો પહોચાડી છે અને કયાંક કામો ચાલુ છે, અને સમય સાથે આ વિસ્તારમાં બદલાવ આવ્યો છે અને હજુ પણ આવશે, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પુરા વિશ્વાસ સાથે કહ્યું કે મનપામાં 50 થી વધુ સીટો સાથે ભાજપનું શાશન આવશે એટલે તમારો કીમતી મત કોંગ્રેસને આપી વેડફી ના નાખતા અને આ ચારેય ભાજપના ઉમેદવારો જે આ વિસ્તારની હમેશા ચિંતા કરનારા છે તેને કીમતી મત આપી અને તમારા વિસ્તારનું પ્રતિનિધિત્વ સોપવાની અપીલ હ્કુભા જાડેજા કરી હતી.
– રાઘવજી પટેલ:ધારાસભ્ય:સૌનો સાથ…સૌનો વિકાસ…સૌનો વિશ્વાસ ભાજપનું સૂત્ર વોર્ડ નંબર 1 માં સાર્થક થશે
તો પોતાના ઉદબોધન દરમિયાન જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે પણ આ ચારેય દોડતા અને સક્રિય સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને મત આપવા લોકોને અનુરોધ કર્યો તેવોએ કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ભાજપનું સૂત્ર છે, તે સુત્રને સાર્થક કરવા માટે ભાજપના ચારેય ઉમેદવારોને ચુંટીને વિજયી બનાવે તેવી અપીલ કરું છું, છેલ્લા 50 વર્ષમાં જે કામ આ વિસ્તારમાં નથી થયા તે આ વિસ્તારના ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્ય તરીકે મેં અને મંત્રીએ અંગત રસ લઈને કરાવ્યા છે, જામનગર મનપા ભાજપનું છે અને ફરી થવાનું છે, જો કોઈ ધર્મ કે કોમને નામે ભડકાવે તો ચેતી જજો અને ભાજપને મત આપજો હજુ 25 વર્ષ સુધી કોંગ્રેસ ક્યાય આવવાનું નથી, રાઘવજી પટેલે કહ્યું કે અમારે બેડીનો પણ હજુ વધુ વિકાસ કરવો છે પણ તેના માટે તમારે અમારા હાથ વધુ મજબુત કરવા પડશે આ તક છે ભાજપના ચારેય દોડતા ઉમેદવારોને લોકો ચુંટી અને મનપામાં મોકલે તો અમારા હાથ મજબુત થશે અને આ વિસ્તારમાં વિકાસ થયો છે હજુ વધુ વિકાસ થાય તેવા પ્રયાસો અમારા રહેશે.
-મનહરભાઈ ઝાલા:રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન
મધ્યસ્થ ચુંટણી કાર્યલયના ઉદ્ઘાટન દરમિયાન ભાજપે આ વિસ્તાર અને લોકો માટે શું કર્યું તે વાતો વર્ણવતા લોકોને અપીલ કરી કે આ વિસ્તારના મતદારોને અપીલ કરી કે ભાજપના એક બે નહી પરંતુ ચારેય ઉમેદવારોને સંપૂર્ણ બહુમતી સાથે જીત અપાવો તો આ વિસ્તારની સકલ હજુ વધુ ફેરવવા તે સક્ષમ થશે.
-જીતુભાઈ લાલ:ભાજપ અગ્રણી
જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપ અગ્રણી જીતુભાઈ લાલએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આ વિસ્તારમાં કેટલાય પક્ષોના ઉમેદવારોને તક આપી છે, આ વખતે મક્કમ નિર્ણય કરી માત્ર ભાજપના ચારેય ઉમેદવારોને ચુંટી અને મનપામાં મોકલો અને આ વિસ્તારમાં જેટલો વિકાસ થયો છે તેનાથી બમણા વિકાસના કામો થશે તેવી ખાતરી તેવોએ આપી હતી.
આ કાર્યક્રમમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચા, નીલેશભાઈ ઉદાણી, લઘુમતી મોરચાના પ્રભારી ઇકબાલભાઈ ખફી (ભુરાભાઈ), વોર્ડ પ્રમુખ અકબરભાઈ કકલ, વોર્ડ પ્રભારી સંજયભાઈ મકવાણા, મહામંત્રી પ્રફુલભાઈ વાઘેલા, મહામંત્રી સંજયભાઈ રાજાણી, અને આગેવાન સંજયભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.