Mysamachar.in-ગાંધીનગર:
કેન્દ્ર સરકાર દ્વારા ગત મોડીરાત્રે દુકાનો ખોલવા અંગેની કરેલી જાહેરાત બાદ આજે રાજ્ય સરકાર દ્વારા પણ આવતીકાલ થી દુકાનો ખોલવાની મંજુરી આપી દેવામાં આવી છે, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માહિતી આપતા કહ્યું કે આવતીકાલથી રાજ્યમાં મોલ-કોમ્પલેક્ષ સિવાય દુકાનો ખોલી શકાશે, દુકાનો ખોલનારે માસ્ક ડિસ્ટર્ન્સનું કરવું પડશે પાલન દુકાનદારોને આ માટે કોઈ અલગથી પાસ કઢાવવાનો રહેશે નહિ અને દુકાનનું લાયસન્સ પુરાવા તરીકે માન્ય રહેશે.