Mysamachar.in-જામનગર
જામનગરમાં વ્યાજવટાવનું મોટું દુષણ છે, અને કેટલીય વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં વ્યાજખોર શખ્સોના ત્રાસથી કંટાળી જઈને સામેવાળી વ્યક્તિ પોતાનો જીવ પણ આપી દેતી હોય છે, પણ આજે જામનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે ભાગીદારીમાં વ્યવસાયની શરૂઆત કરતા લોકો માટે ચેતવણીરૂપ છે, આ કિસ્સામાં પરિવારે પોતાના એક ના એક વહાલસોયા દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે, અને મૃતકના પિતાએ પોતાના દીકરાને મરી જવા મજબુર કરનાર 3 શખ્સો સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં કલમ 306 હેઠળ ગુન્હો પણ નોંધાવ્યો છે,
પોલીસ મથકે નોંધાયલ વિગતો પ્રમાણે જામનગર શહેરના ખોજાગેટ નજીક બંગલાવાડી વિસ્તારમાં રહેતા સાહબાઝ નામના યુવાને ભાગીદારીમાં કપડાનો ધંધો શરૂ કરેલો પરંતુ ધંધો શરુ કર્યા બાદ મંદીને કારણે ધંધો ચાલતો ન હોવાથી ભાગીદાર મહમદ સમેજા અને અન્ય બે શખ્સો વારંવાર સાહબાઝ પાસે આવીને પઠાણી ઉઘરાણી કરતાં અને તેને ધાકધમકી આપતા હતા. અને જો પૈસા નહિ આપે તો જોયા જેવી થશે તેવું કહેતા હતા, આમ વારંવારની ભાગીદાર મહમદ સમેજા, તેનો ભત્રીજો ઈમ્તિયાઝ અને હસન ખફીની ધાકધમકીઓ અને પૈસાની વ્યવસ્થા ન થતાં આઠેક દિવસ પૂર્વે પરિવારના એકના એક પુત્રએ દવા પીને આત્મહત્યા કરી લીધાની ઘટનામાં યુવકના પિતા ઉંમરભાઈએ સીટી એ ડીવીઝનમાં પોતાના પુત્રને મરી જવા મજબુર કરનાર ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.