Mysamachar.in-જામનગર
જોડિયા તાલુકાના રણજીતપર ગામમાંથી જૂની આજી નદીમાંથી સામાકાંઠા વિસ્તારમાં આવન-જાવન માટે થઈને સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી વખતો વખત સરકારમાં રજૂઆત કરવામાં આવે જેને ઉદ્દેશીને ગુજરાત ઈકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર ભારત સરકાર અનુદાનિત સ્માર્ટ ઈકો વિલેજ પ્રોજેક્ટ દ્વારા વર્ષ 2019 2020 ની ગ્રાન્ટ ફાળવી કરી અંદાજે રૂપિયા ૫૬ લાખ ફાળવવામાં આવેલ હતા.
કોરોના વાયરસની મહામારી દરમિયાન આ કોઝવેનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું નહોતું ત્યારબાદ ભારે વરસાદને કારણે આજી ડેમ ચાર માંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા માત્ર ચાર માસમાં જ બાંધેલો કોઝવે પાણીમાં તણાઈ ચૂક્યો હતો જેને લઇને સ્થાનિક ખેડૂતોની જમીનને ખુબજ નુકસાન પહોંચ્યું છે. આ કોઝવે બાંધવાથી ખેડૂતોને આશા હતી કે પોતાની જમીન સુરક્ષિત અને સામા કાંઠે આવન-જાવન માટે થઈને સહેલાઈ રહેશે. પરંતુ ચાર જ માસમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો.
સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે અધિકારીઓની બેદરકારી અને અણ સમજણના કારણે તેમની જમીનોનું નુકસાન થયું છે જે કોઝવે ની ડિઝાઇન બનાવવામાં આવી તે સમયે સ્થાનિક સરપંચ, સભ્યો, કે ગામના ખેડૂતોની રજૂઆતો કે સૂચનો સાંભળ્યા વગર અધિકારીઓએ પોતાની મનમાનીથી ઓફિસોમાં બેસીને આ કોઝવેની ખોટી ડિઝાઇનો બનાવીને નિયમોને અવગણીને કોન્ટ્રાકટર દ્વારા કોઝવે બનાવી નાખવામાં આવેલ જેથી હાલ ભારે વરસાદના કારણે અંદાજે રૂપિયા ૫૬ લાખ ખર્ચનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
જે સમયે કોઝવેનુ કામ ચાલતું હતું એ દરમિયાન સ્થાનિક લોકોની રજૂઆતોને ધ્યાને લઇ આ કોઝવે ના કામમાં નબળી ગુણવત્તાનુ માલ મટીરીયલ તેમજ ટેન્ડરમાં દર્શાવેલા નિયમોને ઘોડીને પી જતા હોવાનું સ્થાનિક લોકોએ જણાવેલું. ઇકોલોજી કમિશનના ભ્રષ્ટ અધિકારીઓના પાપે મળતિયા ઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય જેને લઈને કોઈ જ પ્રકારની તપાસ કર્યા વિના કામ ચાલુ રાખવામાં આવી રહ્યું હતું.
પૂર્વ માજી સરપંચ ગીરીશભાઈ વેગડ જે સમયે કોઝવેનું કામ ચાલતું હતું તે દરમિયાન જ એજન્સી સામે પ્રશ્ન ઉઠાવતા એક પણ અધિકારી કે સરપંચ એ ધ્યાનમાં લીધું નહોતું તેથી ગ્રામજનોનું કહેવું છે કે અધિકારીઓના પાપે અમારા ગામના ખેડૂતોની હજારો વીઘા જમીનુ ધોવાણ થયું છે જેનું વળતર સરકાર યોગ્ય નિર્ણય લઈને અમને ચૂકવે તેવી રજુઆતો કરી હતી. રણજીતપર ગામના પૂર્વ માજી સરપંચ કાળુભાઈ પરમારે જણાવ્યું હતું કે ચોમાસા દરમ્યાન લાખો કયુસેક પાણી આ જૂની આજી નદી માંથી પસાર થતું હોય છે.
બીજી બાજુ થી દરિયાંના ખારા પાણી ની વેરો આવાથી ખેતીની જમીન ને ભારી માત્રામાં નુક્શા થાય છે જેથી ખેડૂતોને પોતાના ખેતીકામ માટે આવવા જવા નાં રસ્તા બંધ થઈ જતા હોય તે માટે સરકારમાં અનેક રજૂઆત ને લઈને આ કામ હાથ ઉપર લેવામાં આવે પરંતુ અમુક વખત સરકારી તંત્રના કર્મચારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના કારણે છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવતા કોમોનું કોઈ નિરીક્ષણ કરવામાં આવતું નથીં
આ કોઝવે પાણીમાં ગરકાવ થઇ જવાથી રણજીતપર ગામના સરપંચ જોસનાબેન હરિલાલ રાઘવાણી દ્વારા મુખ્યમંત્રી ને લેખિત ફરિયાદ કરવામાં લઈને આ કોઝવેમાં ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ કોઝવે ને સમયાંતરે આવી છે. સાથે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા, જીવણભાઈ કુંભાવડીયાએ સ્થળ મુલાકાત ફરી એજન્સીના ખર્ચે સુસજ્જ બનાવી આપવા સરકારમાં રજૂઆત થયાનું જાણવા મળે છે.