Mysamachar.in-જામનગર
જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી આવેલ છે, ઇન્સ્ટીયુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ એવા જામનગરના ગૌરવમાં વધુ એક વધારો થયો છે, કારણ કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વચ્ચે યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કરીને ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHOTM)ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WIO GCTM ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ, ટૅડ્રોસ અધાનમ પ્રેબેયસસે ભારતના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં 13મી નવેમ્બર, 2020ના રોજ 5મા આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં WIIO GCTMની સ્થાપનાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ WHOની આ પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે. આ કેન્દ્રની સ્થાપના માટે પ્રવૃત્તિઓના સંકલન, અમલ અને દેખરેખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ (TTF)ની રચના કરવામાં આવી છે. JTFમાં ભારત સરકાર, ભારતનું કાયમી મિશન, જીનીવા અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ પરિપેક્ષ્યમાં ITRA, જામનગર, ગુજરાત ખાતે એક વચગાળાનાં કાર્યાલયની સ્થાપના કરવામાં આવી રહી છે જેથી ઓળખાયેલ તકનીકી પ્રવૃત્તિઓ અને સંપૂર્ણ રીતે કાર્યરત WHO GCTMનું આયોજન કરવામાં આવે,
વચગાળાના કાર્યાલયનો હેતુ પુરાવા અને નવીનતાની પેઢી પરંપરાગત દવા માટે આર્ટિફિશ્યૂ ઇન્ટેલીજન્સી આધારિત ઉકેલો, કોક્રેન સાથે મળીને પદ્ધતિસરની સમીક્ષાઓ, WHO GPW 13 (કાર્યનો તેરમો જનરલ પ્રોગ્રામ 2019 2023) સમગ્ર પરંપરાગત દવાઓના ડેટા પર વૈશ્વિક સર્વેક્ષણ અને WITO GIMના મુખ્ય કાર્યાલયની સ્થાપના માટે વ્યાપાર કામગીરી અને વહીવટી પ્રક્રિયાઓ, સાસ્કૃત વિકાસ અને વ્યવસ્થાપન તેમજ ક્રોસ કટિંગ કાર્યો પર આશાવાદી અભિગમ સાથે વિકાસ લક્ષ્યાંકો, પરંપરાગત દવા સામાજિક, સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપકપણે વિતરિત કરવાનો છે.
WHOGYTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.આયુષ મંત્રાલયે WHO સાથે આયુર્વેદ અને યુનાની પ્રણાલિની તાલીમ અને પ્રેક્ટિસ પર બેન્ચમાર્ક દસ્તાવેજ વિકસાવવા, રોગોનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ-11ના પરંપરાગત દવા પ્રકરણમાં બીજું મોડ્યુલ રજૂ કરવા, એમ-યોગા જેવી એપ્લિકેશનો વિકસાવવા સહિત ઘણા મોરચે સહયોગ કર્યો છે અને ઈન્ટરનેશનલ ફાર્માકોપિયા ઑફ હર્બલ મેડિસિન (આઇપીએચએમ) અને અન્ય સંશોધન અભ્યાસો વગેરેના કામને સમર્થન આપ્યું છે.
પરંપરાગત દવા એ આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલિનો મુખ્ય આધારસ્તંભ છે અને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વિશ્વ 2030માં વિકાસ લક્ષ્યો માટે દસ વર્ષના સીમાચિહ્નની નજીક છે ત્યારે સલામત અને અસરકારક પરંપરાગત દવા એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે તમામ લોકોને ગુણવત્તાયુક્ત આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ અને સલામત, અસરકારક અને સસ્તી આવશ્યક દવાઓ ઉપલબ્ધ છે. ડબ્લ્યુએચઓ-જીસીટીએમ સંબંધિત દેશોમાં પરંપરાગત દવાને નિયમન એકીકૃત અને વધુ સ્થાન આપવામાં દેશો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારોને ઓળખશે
WHO સાથે મળીને આગામી WHO-KCTM અને અન્ય વિવિધ પહેલો ભારતને સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાને સ્થાન આપવામાં મદદ કરશે. ITRA, જામનગરના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. અનુપ ઠાકર દ્વારા આ બાબતે ખુશાલી વ્યક્ત કરતા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરાયો છે અને ભવિષ્યમાં આ કેન્દ્ર શકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર એક નવું સિમાચિન્હ અંકિત કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
શું થશે લાભો:
-સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન-પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડવું.
-પરંપરાગત દવાઓની ગુણવત્તા સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરીકરવા.
-ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મૂલ્યાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો. સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ઘોરણ અને માર્ગદર્શિકા વિકસાવવા. હાલની TM ડેટા બેંકો, વર્ચ્યુઅલ લાઇબ્રેરીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સહયોગથી WHO TM ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની કલ્પના
-ઉદ્દેશ્યોની સુસંગતતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા અને કેમ્પસમાં તાલીમ કાર્યક્રમો યોજવા અથવા વેબ-આધારિત અને WIOએકેડેમી અને અન્ય વ્યૂહાત્મક ભાગીદારો સાથે ભાગીદારી