Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં થોડો સમય શાંતિ રહ્યા બાદ ફરી વ્યાજખોરો જાણે માથું ઊંચકી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે, જેમા જામજોધપુરના બાલવા ગામે રહેતા અને મજુરીકામ કરતા શૈલેશ સુભાષભાઈ વાવેચા નામના યુવકે દેવાભાઈ કારાભાઈ મુછાર પાસેથી ત્રણ વર્ષ પૂર્વે 20% લેખે 2 લાખ અને એક વર્ષ પૂર્વે 2 લાખ એમ કુલ 4 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા, જેનું છેલ્લા અગિયારેક માસ જેટલા સમયથી સ્થિતિ ખરાબ હોવાને કારણે વ્યાજ કે મુદ્દ્લની રકમ ના ચૂકવી શકતા તેનો ખાર રાખી શૈલેશ પર દેવાભાઈ મુછાર અને તેના બે પુત્રો મયુર અને હમીરે કુહાડીના ઘા મારી અને હુમલો કર્યા સબબની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.