Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગત તા.11 સુધીમાં બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા પુર્ણ કરવા માટે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કરીને તા.18-9-20 સુધીમાં પ્રવેશ મેળવેલ છે અને બાળકોની કાર્યવાહી પુર્ણ કરવા સુચના આપીને બીજા રાઉન્ડ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, શાળા કક્ષાએ સૌપ્રથમ વેબપોર્ટલ પર શાળાના ડાયસકોડ અને પાસવર્ડ દ્વારા લોગ ઇન થવાનું રહેશે. જો શાળાનો પાસવર્ડ ભુલાય ગયેલ હોય તો જે તે જિલ્લાના આરટીઇ નોડલ ઓફિસરનો પાસવર્ડ રીસેટ કરવા બાબતે સંપર્ક કરવાનો રહેશે.
શાળાએ વિદ્યાર્થી/વાલી પ્રવેશપત્ર એટલે કે લઇને આવે ત્યારે પોતાના લોગઇનમાં જઇ શાળામાં ફાળવેલ બાળકના નામ સામે ક્લિક કરી ભરેલ માહિતી તેમજ ઓનલાઇન અપલોડ કરેલ દસ્તાવેજો સાથે અમલ આધારો તેમજ અન્ય જરૂરી આધારોની ચકાસણી કરી એડમિટ બટન પર ક્લિક કરી પ્રવેશ નિયત કરવાનો રહેશે. ત્યારબાદ સંસ્થા તેમજ વાલી માટે પ્રવેશ અંગેની રીસીપ્ટ જનરેટની ટેબ પરથી પ્રિન્ટ મેળવી વાલીને અચૂક આપવાની રહેશે. જે તે શાળા દ્વારા પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ તા.18-9-2020 સુધી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવેલ હોય પણ શાળાએ એડમીટ બટન પર ક્લિક કરી પ્રદેશ નિયત કરવા અંગેની કાર્યવાહી નહી કરી હોય તો તે જગ્યા ખાલી છે તેમ સમજી પછીના રાઉન્ડમાં એ જ જગ્યા માટે અન્ય વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે.
શાળાએ પ્રવેશ આપેલ વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ વેરીફીકેશન દરમિયાન દરમિયાન પ્રવેશ સંબંધિત દસ્તાવેજો અંગે કોઇ શંકા/વિસંગતતા જણાય તો તાત્કાલિક જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનો સંપર્ક કરવો. જો કોઇ સંજોગોમાં વાલી શાળામાં પ્રવેશ માટે આવ્યા ન હોય તો યાદીમાંથી વાલીનો સંપર્ક નંબર મેળવી સમયમર્યાદામાં પ્રવેશ મળી રહે તે માટે સહાયભૂત થવાની કામગીરી કરવાની અને આર.ટી.ઇ. હેઠળ પ્રવેશની જોગવાઇ તમામ શાળાઓને (લઘુમતી શાળાઓ સિવાય) લાગુ પડતી હોવાથી પ્રવેશ માટે કોઇ પણ શાળા ના પાડી શકશે નહિ. વધુ આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા અંગે કોઇ મુશ્કેલી ઉદ્ભવે તે માટે વાલી જિલ્લા કચેરીનો સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઇન નંબરની વિગત એડમિટ કાર્ડમાં મુકવામાં આવેલ છે. આથી આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી જિલ્લાની હેલ્પલાઇન ચાલુ રાખવા સુચના અપાઇ છે.
પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહી ગયેલ બાળકોને બીજા રાઉન્ડમાં શાળાની પુન:પસંદગીની તક આપવામાં આવશે. જે અંગેની જાણ પ્રથમ રાઉન્ડના પ્રવેશ નિયત થવાની કામગીરી પૂર્ણ થયા બાદ આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ ન મળેલ હોય અને કોઇ ફરિયાદ/રજૂઆત કરવા માંગતા હોય તો જિલ્લા કક્ષાએ ફરિયાદ મેળવી નિયમાનુસાર નિકાલ કરવાનો રહેશે. આ માટે જિલ્લા કક્ષાએથી વાલીઓને અત્રેની કચેરી ખાતે મોકલી આપવાના રહેશે નહીં. આરટીઇ હેઠળ મળેલ ફરિયાદોનું એક અલગ રજિસ્ટર નિભાવવાની પરિપત્રના અંતે સુચના આપી છે. જોકે સંખ્યાબંધ વાલિઔને એડમીશન મળ્યા પછી લગત શાળામાથી અને શિક્ષણ કચેરીમાંથી સારો રીસ્પોન્સ ન મળતા અથડાતા કુટાતા હોવાનુ જાણવા મળ્યુ છે