Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામા દાયકાથીય વધુ સમયથી ચાલતા રીસર્વે એ તો ખેડુતોને તોબા પોકારાવી દીધા તેમા વળી આ માટેની લગત કચેરીમાં કામ કેવી રીતે થાય છે તેની ચોમેર ચર્ચા છે તો વળી કર્મચારીઓ ખાસ કરીને એક ચીટકુ તો અરજીઓના “વહીવટ” કરતા હોવાના આક્ષેપોએ ધૂમ મચાવી છે તેના સહિત અમુક સ્ટાફ સામે ફરિયાદો ઉઠી છે, પરંતુ 6000 રી સર્વેની અરજીઓના નિકાલ પેન્ડીંગ હોવા છતાં સારી રીતે અને ઝડપી નિકાલ થઇ રહ્યા ન હોઇ સમગ્રપણે સઘન તપાસની જરૂર આ કચેરીમાં હોય તેમ લાગે છે હાલારમા ખેતીની જમીન માપણી અંગે પાયલોટ પ્રોજેકટની શરૂઆત થયાના વર્ષો પછી પણ ખેડૂતોની જમીન માપણીમાં હજી નિકાલ થતો ન હોવાથી આ ડીઝીટલ માપણી દરમિયાન અનેક ગોટાળાઓ સામે આવ્યા બાદ ખેડૂતો જામનગર ખાતે જિલ્લા સેવા સદન-3માં બેસતી જમીન માપણીની કચેરી ખાતે અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ જમીન માપણીમાં ગોટાળાઓ યથાવત હોય તે વચ્ચે ભ્રષ્ટાચાર પણ ચાલતો હોવાની ફરિયાદ ઉઠી છે…
અને લેન્ડ રેકર્ડ કચેરીમાં ખાસ કરીને જામનગર જિલ્લાના 464 જેવા ગામડાઓની ખેતીની જમીનની માપણીમાં અનેક ક્ષતિઓ આવતા ભુલ સુધારવા માટે ખેડૂતો કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. તે વચ્ચે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની અરજીઓ થયાની ચર્ચાઓ વચ્ચે અમુક લગત કર્મચારીઓ કોઇ કારણોસર રજા પર ઉતરી ગયાનું જાણવા મળ્યુ છે, તો વળી અમુક સુત્રોના જણાવ્યા મુજબ ભ્રષ્ટાચારની અરજીઓ જે છેક ઉપર સુધી કરાઇ છે તેમાં અમુકની અપ્રમાણસર મિલકતના પણ ઉલ્લેખ કરાયાનુ અનુમાન છે રી સર્વેની અરજીનો વહેલો નિકાલ કરવા વહીવટ તેમજ જમીન માપણીની અરજીમાં લાગવગશાહી કરીને મળતીયાઓ મારફત અરજીના નિકાલનું આડેથી વારો લઇને મોટાપાયે સેટીંગ આચરવામાં આવતુ હોવા સહીતના આક્ષેપો થયાનુ જાણવા મળે છે, દરમિયાન રાજયમાં જમીન માપણીનો પાયલોટ પ્રોજેકટ જામનગરમાં શરૂ થયો હતો, ત્યારથી જામનગરની લેન્ડ રેકર્ડ કચેરી વિવાદમાં રહી છે. કચેરીમાં હજુ જમીન માપણી બાદની 6000થી ઉપર જેટલી વાંધા અરજી પેન્ડીંગ છે.
અને ખાનગી કંપનીની બેદરકારી બાદ હવે આ કામગીરી લેન્ડ રેકર્ડ કચેરીના સર્વેયરોને સોપવામાં આવ્યા બાદ જામનગર ઉપરાંત કચ્છ, ગુજરાતની લેન્ડ કચેરીમાંથી વધારાનો સ્ટાફ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવા છતાં હજુ મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડીંગ રહેતા અનેક શંકા જન્મે છે અને આ અરજીઓ થયા બાદ ઘણા કિસ્સામાં અરજીઓ ગાયબ થઇ જતાં અરજદારોએ વારંવાર અરજીઓ પણ કરેલ હોવાના કિસ્સા બન્યા હોય તે વચ્ચે કચેરીમાં ” વ્યવહાર” કરી અરજીનો વહેલો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદો અરજદારોમાં ઉઠતી રહ્યાની ચર્ચા છે આ સ્થિતિમાં અમુક અરજદારે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારની અરજી રાજ્ય સરકારની સંબધિત તપાસનીશ ઉચ્ચ કક્ષાની કચેરીઓમાં કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અરજીમાં અમુક નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોવાનુ અનુમાન છે અને આક્ષેપ છે કે અરજીનો વહેલો નિકાલ કરવા ઉધરાણાં કરાય છે આવુ કરનાર પાસે અપ્રમાણસર મિલકત સહીતની ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે લેન્ડ રેકર્ડ કચેરીમાં ચાલતા આ વહેવારથી હાલમાં કચેરી હાલ ગરમાગરમ ચર્ચામા હોવાનો જાણકારો નો મત છે.