Mysamachar.in-જામનગર:
જામનગરના પવનચકકી સર્કલ વિસ્તારમાં ગત બપોરે આર્મીના ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમા઼ ગ઼ભીર રીતે ઘવાયેલા વૃધ્ધાનુ મૃત્યુ થયુ હતુ.જયારે બાઇકસવાર વૃધ્ધ અને તેના ત્રણ વર્ષના માસુમ પૌત્રને ઇજા પહોચતા હોસ્પીટલમાં સારવાર અપાઇ હતી.રણજીતસાગર રોડ પર ધન અપૂર્વ સોસાયટીમાં રહેતા અરજણદાસ ચીમનલાલ પંજવાણી,તેના પત્ની તારાબેન અરજણદાસ અને તેઓનો ત્રણ વર્ષનો માસુમ પૌત્ર જૈનિલ દિનેશભાઇ પંજવાણી (ઉ.વ.3)શનિવારે બપોરે બાઇક પર પવનચકકી સર્કલ વિસ્તારમાંથી પસાર થઇ રહયા હતા.
દરમિયાન જેલ રોડ તરફથી આવતા આર્મી ટ્રક નંબર 12 સી 095673 એચ ના ચાલકે બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલ તારાબેન સહિત ત્રણેયને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા.જયાં ગંભીર ઇજાગ્રસ્ત તારાબેન (ઉ.વ.70)નુ મૃત્યુ નિપજયુ હોવાનુ જાહેર થયુ હતુ.આ ઉપરાંત ઘવાયેલા દાદા-પૌત્રને પણ સારવાર આપવામાં આવી હતી.અકસ્માતના આ બનાવની સીટી એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.