Mysamachar.in-જામનગર
એક બાજુ ચુંટણી આવે છે અને કોર્પોરેશનના વિસ્તાર અને મતદારો વધતા સામાજીક સમીકરણોની કવાયત શરૂ થઇ છે કેમકે એક રીતે જોઇએ તો સરેરાશ બે વોર્ડ થી પણ વધુ જેટલા મતદારોની સંખ્યા વધી છે બીજી તરફ હવે પ્રશ્ન આવશે ટીકીટનો અને જે તે સમાજમા મોભો હશે તેને જ ટીકિટ મળશે છતા 20 ટકા બાંધછોડની છુટ ઉપરથી મળતા એ રીતે પેનલ બની શકશે કે કોઇ લેવા જ પડે તો લઇ શકાય કે પસંદ કરી શકાય હવે ગત વખતે ભાજપને ચુંટણીમા 38 બેઠક મળેલી પરંતુ મત ટકાવારી ભાજપની વધી ન હતી બાદમા કોંગ્રેસ ચુંટાયેલા દસ આયાતી આવ્યા તેથી 48 હાલ સભ્ય તો થયા તેમ ગણાવી શકાય પરંતુ 48 માંથી સમર્પિતનુ પણ જોવુ પડે જોકે રાજ્ય અને રાષ્ટ્ર તરીકે શાસકપક્ષ ભાજપ હોઇ હાલ તો પડ્યા રહેવુ ને મને કમને પણ દેખાડવુ પડે કે સમર્પિત છીએ પરંતુ શાસક પક્ષ માટે ઉમેદવાર પસંદગી હાલ તો પડકાર જ ગણાય…..
કેમકે કેટલા ટકા ચુંટાયેલા સભ્યોની ગરીમા પાંચ વર્ષ પહેલા હતી તેમા સન્માનજનક વધારો થયો?? મુલ્યનિષ્ઠ સેવા કેટલાએ કરી?! હાજી હા ને આગળી ઉચી કરવાનુ અને શાસકપક્ષ છે તે લાભ લેવા સિવાય બીજુ શુ કર્યુ?? સ્વવિકાસ કે શહેરવિકાસ તે પણ સ્પષ્ટ નથી ને?? વગેરે પ્રશ્નો સાથે સમીક્ષકો પાસેથી જુદુ જુદુ વિશ્લેષ્ણમળે છે હા બહુમતી મળે પરંતુ તેના કારણો ઘણા હોય પ્રજા શાણી છે ઓછો નબળો વિકલ્પ ક્યારેક પસંદગી બની જાય છે તેમ ચર્ચા થાય છે.
રાજકીય માંધાતાઓના મતે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન શાસન પુરતી લોકપ્રિયતા ઘટી છે આગળ જતા ચુંટણીમાં ચુંથણા જેવુ બનશે તેમાંથી ગાંઠો સુલઝાવવા સંગઠન હોદેદારો નેતાઓ પ્રદેશ નેતાઓ સૌ પડકાર છે કેમકે કેટલા કોર્પોરેટરોએ પ્રજામત જીત્યા બાદ પ્રજાવિશ્વાસ કેટલાએ જીત્યો એ સવાલ છે માટે ભાજપની ટીકીટ મળી એટલે જીતી જ જવાય એવુ નથી ગત વખતે 2015 મા 16 ઉમેદવાર હાર્યા તેનુ વિશ્લેષણ નથી થયુ અમુક સાવ બારિક રીતે જીત્યા તે પણ વિચારવુ જરૂરી છે અને પ્રજાની સુખાકારીની ચિંતા કેટલાએ કરી?? માત્ર પક્ષમા હા જી હા કરવુ કોક વળી ધમપછાડા કરી પોતાનુ ચલાવી લેવુ કોક વળી પોતાનુ સાજુ થઇ ગયુ હવે શું??
પ્રજાલક્ષી યોજના સહાય વગેરે મળે છે કે કેમ?? અધીકારો થી પ્રજા વંચિત તો નથી ને?? આ બધા સવાલોના વિશ્ર્લેષણ થવા જરૂરી છે અને દરેક બ્રાંચમાથી દરેક નગરસેવકો પ્રજા માટે કામ કઢાવી નથી શકતા તે વરવી વાસ્તવિકતા છે જેના ઘણા કારણો હોઇ શકે આવા સંજોગોમા માત્ર સંખ્યા વધારવા જે પોતાના છે તેમને પુરતો સંતોષ ન આપી સક્ષમતા ન આપી તો વળી આયાત કર્યા પરંતુ આયાતીઓ થી ફાયદો કે નુકસાન કે કંઇ નહી?? તે પણ વિચારવુ જરૂરી છે તેમ પણ આ તકે રાજકીય માંધાતાઓનો મત છે.