Mysamachar.in-જામનગર:
જામનગર શહેર જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે આ તસ્કરો પૈકી એક પકડાઈ જતા પોલીસને આંશિક સફળતા મળી છે, જામનગર શહેરમાં અલગ અલગ 11 ચોરીઓ અને ધ્રોલ, સિકકામાં થયેલી અન્ય 9 ચોરીમાં સીકલીકર ગેંગના સભ્યને એલસીબીએ મુદ્દામાલ સાથે પકડી ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગર શહેરમાં નવાગામ ઘેડ, વિનાયક પાર્ક, સ્વામિનારાયણ નગર, નિર્મળનગર, વિપુલભાઇ અગ્રાવત, રીતેશભાઇ ગોહિલ, ઓસમાણભાઇ ખીરા, જયેશભાઇ વાઘેલા, વિનોદભાઇ રાવલ, શશીકાંતભાઇ ભટ્ટ, મુકુદભાઇ મહેતા, નયનાબા જાડેજા, ઇન્દુભા રણુભા ઝાલા વગેરે સહીત અંદાજે 11 જેટલી ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હતાં અને પોલીસને ભાર શિયાળે પરસેવો વળી ચુક્યો હતો અને પોલીસ તસ્કરોને શોધવામાં કામે લાગી હતી.
જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાના ભગીરથસિંહ સરવૈયા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઇ તલાવાડીયાને ખાનગી બાતમી મળી હતી કે, આ ચોરીની ઘટનાઓમાં સીકલીકર ગેંગનો હાથ છે અને તેનો એક સભ્ય સુરણસિંગ રતનસિંગ સરદારજી અન્ય ઇસમો સાથે મળીને ચોરીઓને અંજામ આપે છે.સુરણસિંગના ગુલાબનગર વીભાપર રોડ પર આવેલા મકાન પર એલસીબીએ દરોડો પાડી તેના કબજામાંથી સોની કંપનીનું એલઇડી ટીવી રૂા. 10 હજારની કિમતનું, રોકડ રૂા. 2250 તથા ગેસના એક બાટલા સાથે અટક કરી પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, તેણે અલગ-અલગ જગ્યાએ ચોરી કરી હતી અને તેની સાથે જોગીન્દ્રસિંગ ઉર્ફે કબીર સંતોષસિંગ ભોન્ડ, ભીલસિંગ રતનસિંગ ટાંક અને સુનીલસિંગ પાનસિંગ બાવરે સંડોવાયેલા છે, જેથી પેાલીસે તેમને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
-જામનગર જિલ્લામાં ક્યાં ક્યાં કરી છે ચોરીઓ
-સ્વામિનારાયણ નગરમાં ડિમ્પલબેન દિલીપભાઇ ડાભી, પુજાબેન હરેશભાઇ પરમારના મકાનમાંથી રોકડ તથા દાગીના મળી રૂા. 1 લાખના મુદ્દામાલની ચોરી,
-8 દિવસ પહેલા નવાગામ ઘેડ, સ્વામિનારાયણ નગર, રામેશ્વરનગર સહિત 11 સ્થળોએ રોકડ રૂપિયા, સોનાના દાગીના તથા એલઇડી કંપનીના ટીવીની ચોરી કરી હતી.
-8 દિવસ પહેલા શહેરમાં એક મકાનમાંથી ઇન્ડિયન કંપનીના બાટલાઓની ચોરી કરી હતી.
-12 દિવસ પહેલા ધ્રોલમા આવેલા પેટ્રોલ પંપ પાછળ મહાલક્ષ્મી સોસાયટી, ધ્રોલ મુસ્લીમ વિસ્તાર તથા ધ્રોલ-જોડિયા રોડ, જોડિયા નાકા પાસે આવેલા અલગ-અલગ 5 મકાનના તાળા તોડી રોકડ રૂપિયા તથા અન્ય મુદ્દામાલની ચોરી કરી હતી.
-11 દિવસ પહેલા સિકકા ગામે 2 સોસાયટી તથા નાની ખાવડીમાં 1 મકાન મળી 3 મકાનના તાળા તોડી રોકડ તથા કરીયાણાની ચીજવસ્તુઓની ચોરી કરી હતી.
-11 દિવસ પહેલા શહેરના કાલાવડ નાકા બહાર એસ્સાર પંપની બાજુમાં તથા કાલાવડ રોડ પર આવેલા 2 મકાનોના તાળા તોડી રોકડ રૂપિયાની ચોરી કરી હતી.
ઉપરોક્ત અલગ ચોરીઓ કરવામાં આરોપીઓ સૂરણસિંગ રતનસિંગ સરદારજી,જોગીન્દરસિંગ ઉર્ફે કબીર સંતોષસિંગ ભોન્દ , ભીલસિંગ રતનસિંગ ટાંક, સુનીલસિંગ પાનસિંગ બાવરની પણ સડોવણી ખુલી હોય જેને ઝડપી પાડવા એલસીબીની ટીમ સખ્ત જહેમત ઉઠાવી રહી છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. એસ.એસ.નિનામાની સુચના પીએસઆઈ કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી.સ્ટાફના માંડણભાઇ વસરા, અશ્વિનભાઇ ગંધા, ફીરોજભાઇ દલ, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, નિર્મળસિંહ એસ.જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર,સુરેશભાઇ માલકીયા,લક્ષ્મણભાઇ ભાટીયા, એ,બી,જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે