Mysamachar.in-જામનગર:
જામનગર નજીકનો ખીજડીયા બાયપાસ અકસ્માત પોઈન્ટ બની રહ્યો હોય તેમ છાસવારે અહી અકસ્માતોની અને ખાસ તો કેમિકલ ભરેલ ટેન્કરો પલટી જવાની ઘટનાઓ સામે આવતી રહી છે,એવામાં આજે ખીજડીયા બાયપાસ નજીક ટ્રક પલટી જતા બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરથી સોડા ભરી હૈદરાબાદ તરફ જઈ રહેલ ટ્રક ખીજડીયા બાયપાસ નજીક પહોચતા એકાએક રોડ નીચે ઉતરીને પલ્ટી મારી ચુક્યો હતો જીજે 37 ટી 7906 નંબરનો ટ્રક એકાએક પલટી મારી રોડની નીચે ઉતરી ગયો હતો. જેમાં બે યુવકોના ટ્રક નીચે દબાઈ જતા બંનેના સ્થળ પર જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા મળતી માહિતી પ્રમાણે ચાલક અને ક્લીનરના મૃત્યુ નીપજ્યા હતા આ બનાવના પગલે પંચકોશી એ ડીવીઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.