Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકા હંમેશા રખડતા ઢોર મુદ્દે બચાવની ભૂમિકામાં જ રહી છે, નહિ કે નક્કર કાર્યવાહી થઇ રહી હોય….વર્ષે લાખોના ખર્ચ બાદ રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ એટલો છે કે તેનો ભોગ કોઈપણ બની શકે છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો પોલીસ દફતરેથી સામે આવ્યો છે, જેમાં શહેરના કિશાનચોક વિસ્તારમાં મોદીનો વાડો, શ્રીકૃષ્ણ ભુવન નામના મકાનમાં રહેતાં પ્રવિણભાઇ બાબુભાઇ નંદા નામના 60 વર્ષીય વૃધ્ધ ગત્ તા.31મીના રોજ સાંજના ચાડા ચારેક વાગ્યે લાખોટા તળાવના ગેઇટ નંબર 2 થી 3 વચ્ચે આવેલા ચબુતરામાં ચણ નાખવા માટે પહોંચ્યાં હતાં. એ દરમિયાન એક ગાયએ પ્રવિણભાઇને એવી તો ઢીંક મારી કે તેવો તેઓ નીચે પટકાયા હતાં. જેમાં તેઓને માથાના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન વૃધ્ધનું મૃત્યું નિપજ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે પશુઓને પકડવાના અને રસ્તા પર રોજમદાર રાખવાની કામગીરી નાટક સાબિત થઇ રહી હોય તેમ પણ આવા બનાવોને જોતા લાગે છે.