Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોરી અને હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, એવામાં હત્યાની વધુ એક ઘટના ગતરાત્રીના સામે આવી છે, આ ઘટનામાં જામનગર નજીકના ખીમલીયા ગામે ગત મોડી રાત્રે એક યુવાન હત્યા નીપજાવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.બનાવની જાણ થતા પંચકોશી બી ડીવીજન પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહનો કબજો સંભાળી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.જામનગર નજીક આવેલ ખીમલીયા ગામે ગત મોડી રાત્રે સીમ વિસ્તારમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશભાઈ કાનજીભાઈ વાઘોણા નામના 33 વર્ષીય યુવાન પર હુમલો કર્યો હતો. બોથડ પદાર્થ વડે હુમલો કરી આરોપીઓએ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા યુવાન ઘટના સ્થળે જ મોત થયું હતું.પ્રાથમિક વિગતો મુજબ જુના મનદુઃખમાં ગામના જ અમુક શખ્સોએ આ યુવકની હત્યા નીપજાવી હોવાની વાત હાલ સામે આવી રહી છે.ત્રણેક જેટલા ઈસમો સામે મૃતકની પત્નીએ શંકા દર્શાવી છે તે દિશામાં પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.