Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લો રેતીની ખનીજચોરીને લઈને બદનામ થઇ રહ્યો છે, અનેક બબાલ રેતીચોરીને લઈને સામેં આવે સામે આવે છે, થોડા દિવસો પૂર્વે જોડીયા તાલુકામાં એક ઉપસરપંચની હત્યા પણ રેતીચોરીના ડખામાં કરવામાં આવી હતી ત્યાં જ વધુ એક રેતીચોરીના ધંધા બાબતે જ એક યુવકની સરાજાહેર હત્યાથી ખુદ જીલ્લા પોલીસવડા સહિતનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો….જામનગરમાં ઠેબા ચોકડી પાસે સાંજના સમયે એક યુવાનની કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. હત્યા નીપજાવી આરોપી ફરાર થયો છે. આ હત્યા પ્રકરણમાં એક પોલીસમેનની સંડોવણી હોવાની વાત વહેતી થઇ છે. રેતીના ધંધાના મનદુઃખને લઈને હત્યા નીપજાવવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે જો કે પોલીસે આ અંગે કોઈ સતાવાર વિગતો હજુ સુધી આપી નથી,
આજે સાંજે આં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ રેતીના ધંધા બાબતે બે પક્ષે બોલાચાલી થઇ હતી મામલો ઉગ્ર બનતા સામસામે આવી ગયા હતા. જેમાં યુવક યુવરાજસિંહ જાડેજાની હત્યા નીપજાવવામાં આવી હતી. આ બનાવના પગલે એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, પંચકોશી એ અને બી ડીવીજનનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. રેતીના ધંધા બાબતે બંને પક્ષે મનદુઃખ થયા બાદ આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે, આ પ્રકરણમાં આરોપી તરીકે એક ડીસમીસ થયેલ પોલીસમેનની સંડોવણી પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જો કે આ મામલે પોલીસ દ્વારા સતાવાર વિગતો જાહેર કરાઈ નથી,અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં રેતીચોરીનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેને ડામવું જરૂરી છે.