Mysamachar.in-જામનગર
જામનગર શહેર જીલ્લામાં દિવસે ને દિવસે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, તેને પગલે સરકારી હોસ્પિટલની પથારીઓ ટપોટપ ભરાવવા લાગતા ખાનગી હોસ્પિટલો સાથે જામનગર મનપા દ્વારા સંકલન કરી અને આજે તેની એક માત્ર નામો અને કેટલા બેડ છે તેની યાદી ડેપ્યુટી કમિશ્નર વસ્તાણીએ મીડિયા ગ્રુપમાં જાહેર કરી દીધી છે. આ યાદી અને ખાનગી હોસ્પિટલોમાં સુવિધાઓથી કોઈ વાંધો નથી, સારી બાબત છે કે તેનાથી સરકારી હોસ્પિટલ પરનું ભારણ ઘટશે અને પહોચતા પામતા કે ના પહોચતા પામતા અમુક લોકો ત્યા સારવાર લેવા જશે…
પણ આજે જાહેર કરેલ યાદી મનપાએ માત્ર હોસ્પિટલોમાં દર્દીઓ જાય તેના માટે કરી દીધી હોય તેમ લાગે છે કારણ કે આજે યાદી જાહેર થયા બાદ ડેપ્યુટી કમિશ્નર વસ્તાણીને આજે જાહેર કરેલ યાદી મુજબની 7 હોસ્પિટલોમાં ઓક્સીજન, વેન્ટીલેટર, બાયપેપ, કઈ હોસ્પિટલમાં કેટલો ચાર્જ તે અંગેની માહિતી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેવોએ કહ્યું કે મારી પાસે હાલ કેટલા બેડ છે તેની માહિતી આવી તે જાહેર કરી છે મારી પાસે માહિતી આવશે તેમ તેમ જાહેર કરીશ આ જવાબ એક જવાબદાર આપે ત્યારે આશ્ચર્ય પમાડે તેવો હોય તેમ લાગી રહ્યું છે. ખરેખર લોકોનું હિત જ હૈયે હોય તો કઈ હોસ્પીટલમાં કેટલી અને કેવી સુવિધાઓ છે.?
કઈ હોસ્પીટલમાં કેટલો ચાર્જ દર્દીઓ પાસેથી વસુલવામાં આવશે..? કઈ હોસ્પિટલનો શું ઈન્કવાયરી નંબર છે તે પણ પ્રજાજોગ જાહેર થાય તો ખરી માહિતી કહેવાય બાકી લોકોને ખાલી આ હોસ્પિટલ ચાલુ થઈ છે તે માહિતી આપવાથી શું ફરક પડશે આશા રાખીએ કે લોકોના હિતમાં તંત્ર આવી માહિતી જે લોકોને ખરા અર્થમાં જરૂરી છે તે પણ જાહેર કરશે.