Mysamachar.in-જામનગર
આપને ત્યાં કોરોનાને મહાત આપવા સરકાર લોકોને તો ખુબ સુફિયાણી સલાહો આપતા આપણાં નેતાઓ નજરે પડતા હોય છે, પણ ખાટલે મોટી ખોટ ડોકટરો જ ના હોય તો….એક તરફ કોરોના મહામારીનો કપરો કહેવાય તેવો કાળ ચાલી રહ્યો છે, અને જામનગર જીલ્લાની જ વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે ટપોટપ કોરોના પોજીટીવ કેસોની સંખ્યા સતત વધવા લાગી છે, જે બાબત સર્વવિદિત છે, આવા કપરા સમયે જ ગ્રામીણ વિસ્તારોમાં 31 પીએચસી સેન્ટરો આવેલ છે, જેમાં ડોક્ટરોની 9 ખાલી હોવાનો મુદ્દો ખુદ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામ રાઠોડે ઉઠાવ્યો છે અને જીલ્લા વિકાસ અધિકારીને તાકીદે તબીબોની ભરતી કરી અને તેમને પીએચસી અને સીએચસી સેન્ટરોમાં લગાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.
જામનગર જીલ્લા પંચાયત હસ્તકના 31 phc સેન્ટરો આવેલ છે.પરંતુ તે 31 phc સેન્ટરોમાં થી 24 જગ્યા ભરેલ છે અને 9 જગ્યાઓ ખાલી હોવાના ઉપપ્રમુખના આક્ષેપનો સ્વીકાર કરતા નાયબ જીલ્લા વિકાસ અધિકારી એ.યુ.મકવાએ આ તમામ ખાલી 9 જગ્યાઓ ઝડપભેર ભરાઈ તેના પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું પણ ખરેખર ગ્રામીણ વિસ્તારના લોકોના હિતમાં આ જગ્યાઓ ભરાઈ તે ખુબ જરૂરી છે.કારણ કે સ્થાનિક પ્રાથમિક સારવાર ના મળે તો લોકોને ગામડાથી શહેર સુધી સારવાર માટે આવવું પડે છે.