Mysamachar.in-જામનગર
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં દુષિત પાણી વિતરણ થઇ રહ્યું હોવાનો કેટલાક નગરસેવકો દ્વારા કેટલાક સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો અને આ મામલે મેયર કમિશ્નર સહિતનાઓને દુષિત પાણીની બોટલો આપી અને રજૂઆત કરવામાં આવી… ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી ગાજી રહેલા આ દુષિત પાણીના મામલે સત્ય શું છે તે તપાસવા “માયસમાચાર” આ અંગે મૂળ સુધી પહોચ્યું… ત્યારે અત્યારસુધીના લેબરીપોર્ટ પર નજર કરવામાં આવે તો પાણી પીવાલાયક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ મામલે મનપાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર પી.સી.બોખાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે પાણીમાં બીજો કોઈ પ્રશ્ન નથી, હા કોઈ કારણોસર પાણીનો કલર ડેમમાં ફરી ગયો છે તે વાત સાચી છે. ગત 1 તારીખના રોજ પણ પાણીના સેમ્પલો ટેસ્ટ કરવામાં આવતા તેમાં કોઈ વાંધો ના હોવાનું સામે આવ્યું હતું, વધુમાં આજે પણ કમિશ્નર સતીશ પટેલની સુચનાથી સસોઈ ડેમના પાણીના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. અને સસોઈ ડેમથી જ પાણી આવે છે તે જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ ખાતે પહેલા ફિલ્ટર થાય બાદમાં ફટકડી ફેરવવામાં આવે કલોરીનેશનની પક્રિયા થાય છે અને પછી વિતરણ થાય છે,
માટે દુષિત પાણી વિતરણ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને પાણી પીવાલાયક છે એટલું ચોક્કસથી પી.સી.બોખાણીએ જણાવ્યું હતું. બોખાણીએ વધુમાં જણાવ્યું કે સમયાંતરે પાણીના નમુનાના સરકારી લેબોરેટરીમાં ટેસ્ટીંગ પણ કરવામાં આવતા હોય છે. અને વિતરણ થતું પાણી પીવાલાયક હોવાનો દાવો પણ તેમને કર્યો છે.અને આજે પણ વધુ એક વખત રીપોર્ટ સરકારી લેબમાં ચકાસણી અર્થે મોકલાયા છે અને હાલ સુધી પાણીમાં કોઈ ખરાબી ના હોય તેવી વાત વોટરવર્કસ વિભાગના અધિકારી પી.સી.બોખાણીએ કરી છે.