Mysamachar.in-જામનગર
રાજયમા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે રાજય સરકાર પણ એલર્ટ બની છે, આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન કરી અસરકારક કામગીરી કરવામા આવી રહી છે. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આજે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં એક મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું. ખાસ તો ચોમાસા દરમિયાન સામાન્ય રીતે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા મચ્છર જન્ય રોગોમાં વધારો થતો હોય છે. તેને નિયંત્રણમાં રાખવા માટે મચ્છર નિયંત્રણની કામગીરી ખૂબ જરૂરી છે. જેમાં મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે તકેદારી રાખવાની હોય છે. સામાન્ય રીતે મેલેરિયા અને મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના મચ્છરો ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા હોય છે એટલે જ્યાં વરસાદી પાણી ભરાતું હોય ત્યાં તેમાં પાત્રોમાં પોરા ઉત્પન્ન ના થાય તે માટે સરકાર દ્વારા નિયમિત કામગીરી હાથ ધરવામાં આવે છે તેમાં જન ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે.
ત્યારે જો વાત જામનગર શહેરની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી માંડીને 2 ઝેરી મેલેરિયા જયારે 31 સાદા મેલેરીયાના પોજીટીવ કેસો સામે આવ્યા છે, જેમાં કોઈ મોત થયું નથી, તો જામનગર શહેરમાં ડેન્ગ્યુ પોજીટીવ કેસોની વાત કરવામાં આવે તો 35 ડેન્ગ્યુના કેસો નોંધાયા છે,35 પૈકી છેલ્લા 20 દિવસમાં જ 6 ડેન્ગ્યુ પોજીટીવના કેસો નોંધાયા છે, ચીકનગુનિયાના કોઇપણ કેસો શહેરી વિસ્તારમાં નોંધાયા નથી. તો જામનગર જીલ્લામાં એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં જાન્યુઆરીથી આજ દિવસ સુધીના ડેન્ગ્યું પોજીટીવના 8 કેસો જયારે ઝેરી મેલેરીયાના કોઈ કેસો નોંધાયા નથી જયારે સાદા મેલેરિયા પોજીટીવના 125 કેસો નોંધાયા છે.