Mysamachar.in-જામનગર:
જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ગઈકાલે કાલાવડના નવનિર્મિત યાર્ડની મુલાકાતે પહોચ્યા હતા, અને તેવોએ નવનિર્મિત યાર્ડની મુલાકાત લઇ હાલમાં ચાલી રહેલ ટેકાના ભાવોથી મગફળીની ખરીદી સહિતની ખેડૂતોના હિતને લગત બાબતો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું, અને ખેડૂતો વધુમાં વધુ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લે તેવી જાણકારી ખેડૂતો સુધી પહોચાડવા આહવાન કર્યું હતું કૃષિમંત્રી રાઘવજી પટેલની આ મુલાકાતે વેળાએ કાલાવડ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, વાઈસ ચેરમેન કાંતિભાઈ ગઢિયા, ડીરેક્ટરો જમનભાઈ તારપરા, મનોજભાઈ જાની, રમેશભાઈ તાળા, તો ભાજપના આગેવાનો શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા, તાલુકા પંચાયત પ્રમુખ એમ,પી,ડાંગરિયા પણ સાથે રહ્યા હતા.