Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં આવેલ કેટલાક સસ્તા અનાજના દુકાનદારો મનફાવે તે રીતે વોર્ડનું સંચાલન પુરવઠા તંત્રની રહેમરાહ હેઠળ કરી રહ્યા હોય ત્યારે આ મામલે “માયસમાચાર” દ્વારા આ તમામ બાબતો જરૂરિયાતમંદોના હિતમાં ઉજાગર થાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે, જામનગરના માંડવી ટાવર નજીક આવેલ સસ્તા અનાજની દુકાનને લઈને પણ કેટલીક ફરિયાદો ઉઠી છે, જેમ કે પુરતો માલ ના મળવો, સમયસર દુકાનના ખુલવી વગેરે બાબતે તાજેતરમાં જ આ વોર્ડના સામાજિક કાર્યકર અને અમુક રેશનકાર્ડ ધારકોએ પોતાની વાત રજુ કરી હતી, આજે જયારે આ દુકાનની મુલાકાત લેવામાં આવી ત્યારે હાજર વ્યક્તિની આ મામલે પ્રતિક્રિયા લઇ તેમનો પણ પક્ષ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે આ સવાલોના કેવા ગોળ ગોળ જવાબો આપ્યા તે પણ સાંભળો…જો કે હવે આવા અન્ય વોર્ડ પર પુરવઠા વિભાગને ત્રાટકવાની ફુરસદ મળશે કે કેમ તે પણ જોવું રસપ્રદ છે.