Mysamachar.in-જામનગર
જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા મધ્યપ્રદેશના યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે, નવો મોબાઈલ ક્યાંક ખોવાઈ ગયા બાદ ગુમસુમ રહેતા મનમાં લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. મૂળ અલીરાજપુર જિલ્લાના પનાલા ગામના વતની હાલ જોડિયાના પીઠડ ગામની સીમમાં રહેતા ભલીયા ભાઈ ઉર્ફે રાજીયો કાળુભાઈ મહિડા ઉમર વર્ષ 40 નામના યુવાને ત્રણેક દિવસ પહેલાં નવો મોબાઈલ ખરીદ કર્યો હતો, જે મોબાઇલ ક્યાંક ખોવાઈ ગયેલ હોય ત્યારથી કંઈ કામ ધંધો કરતો ન હોય અને ગુમસુમ રહેતો હતો. જે બાબતે ભલીયાભાઈને મનમાં લાગી આવતા પોતાની મેળે ગત તારીખ 29 ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. આ અંગે પીઠડ ગામમાં રહેતા ભુરાભાઈ નાનકભાઈ બામનીયા દ્વારા જોડીયા પોલીસમાં જાણ કરાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.