Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા કૌભાંડોનું ઘર છે, અને છાસવારે યેનકેન પ્રકારે ભ્રષ્ટાચાર ઉઘાડો પડતો રહે છે, બે વર્ષ જેટલી લાંબી તપાસ બાદ આજે એસીબી મનપાના તત્કાલીન નાયબ ઈજનેર સહીત હાલના કર્મચારી, કોન્ટ્રાક્ટર મળીને કુલ ૯ સામે શૌચાલય કૌભાંડને લઈને ગુન્હો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે, વર્ષ 2014થી 2017 ના સમયગાળા દરમ્યાન વોર્ડ 6 માં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને એક જ શૌચાલયના બબ્બે વખત બીલ બનાવી પૈસા વસુલી લેવામાં આવ્યા હોવાની અરજી ACB માં કરવામાં આવી હતી જેના અનુસંધાને આજે આ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના વોર્ડ નં 6 માં 2014 થી 2017 દરમ્યાન અમુક લાભાર્થીઓને એક સંસ્થાએ શૌચાલય બનાવી દીધા હતા. છતાં પણ બીજી સંસ્થાએ આવા લાભાર્થીઓના ખોટા દસ્તાવેજો ઉભાકરી મહાપાલિકામાં બીલ મુકીને તેની રકમ મેળવી લીધી હતી. તેમજ લાભાર્થીઓએ સરકારની રોકડ સહાય મેળવીને શૌચાલય બનાવેલા હોવા છતાં અમુક સંસ્થાઓએ આ રેહણાંક મકાનોમાં બીજી વખત શૌચાલય બનાવી સરકારી યોજનાનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરી બબ્બે વખત લાભ મેળવ્યો હતો. આ પ્રકારના શૌચાલયોના બિલોની ચકાસણી કર્યા વગર મનપાના તત્કાલીન અને હાલના અમુક અધિકારીઓએ પ્રમાણપત્રો આપીને પોતાની સત્તાનો દુરુપયોગ કરી કુલ રૂપિયા 78800 નું કૌભાંડ આચર્યાનું તપાસ દરમ્યાન બહાર આવતાં જામનગર ACB ના પીઆઈ એ.ડી.પરમારે સતાના દુરપયોગ કર્યા સબબ નો ગુન્હો નોંધ્યો છે,
કોની કોની સામે નોંધાયો ગુન્હો
-નિવૃત નાયબ ઈજનેર હસમુખ વલ્લભભાઈ બેરા,
-મદદનીશ ઈજનેર કૌશલ વિજયભાઈ ચૌહાણ,
-વર્ક આસીસ્ટન્ટ દીપ પ્રવીણભાઈ વેકરીયા,
નંદભૂમિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ આણંદ, ભગવતી જરી રેશમ ખાદીગ્રામ ઉદ્યોગ બોરના,
-કવાડ કન્સ્ટ્રકશન,
-ટપુભાઈ માધાભાઈ રાઠોડ,
-શેખર શંકરભાઈ ગોવિંદભાઈ
-જટુભા કલુભા જેઠવા