Mysamachar.in:જામનગર
ભારત સરકાર દ્વારા મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગનાં માધ્યમથી ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ – 2022 અંતર્ગત દેશનાં 266 શહેરમાં સીટીઝન પરસેપ્શન સર્વે હાથ ધરવામાં આવ્યો છે જ મુજબ ગુજરાતનાં જામનગર સહિતનાં 8 મહાનગર તથા દાહોદ શહેર સહિત રાજ્યનાં 9 શહેરી વિસ્તારોમાં સર્વે તથા તેનો પ્રચાર-પ્રસાર કરવામાં આવનાર છે.જામનગર શહેરનાં 18 વર્ષથી વધુ વયનાં નાગરિકો આ સર્વેમાં ક્યુ.આર. કોડ સ્કેન કરી શહેરમાં પ્રાપ્ત પ્રાથમિક સુવિધાઓને આધારે પોતાનો ફિડબેક (મંતવ્ય) ઓનલાઇન સબમિટ કરી શકે છે.
સર્વેમાં ભાગ લેવા ક્યુ.આર. કોડ સ્કેન કરી વેબસાઇટ પર પ્રાથમિક માહિતી અને ભાષા પસંદ કરી જામનગર શહેર માટેનો યુ.એલ.બી નંબર (802516) અચૂક દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી શહેરમાં મળતી પ્રાથમિક સુવિધાઓ અન્વયે 17 પ્રશ્નોનાં જવાબ ફિડબેક રૂપે સબમીટ કરવાનાં રહેશે. ફિડબેક સબમીટ કર્યા પછી કેન્દ્ર સરકારનું અધિકૃત પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.જામનગરનાં પુખ્ત વયનાં નાગરિકો શૈક્ષણિક – સ્વૈચ્છિક સંસ્થાઓને તથા પુખ્ત વયનાં તમામ નાગરિકોને આ સર્વેમાં ભાગ લઇ સ્માર્ટ સીટી મિશનમાં શહેરને પ્રથમ ક્રમાંક અપાવવા મેયર બીનાબેન કોઠારી, સ્ટે.ચેરમેન મનીષ કટારિયા, કમિશ્નર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશ્નર ભાવેશ જાની સહિતનાંઓ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.