Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ઠેર ઠેર ગંદકી અને ઉકરડાઓનું સામ્રાજ્ય છે, જામનગર મહાનગરપાલિકાના બજેટનો મોટો હિસ્સો અલગ અલગ પ્રકારે સફાઈ કામગીરી પાછળ ફાળવવામાં આવે છે, અરે ત્યાં સુધી મનપાના આંતરિક વર્તુળોમાં સાંભળવા મળે છે કે કચરામાં થી કેટલાય કમાણી કરી પોતાના ઘર ભરી રહ્યા છે, અને એક ચોક્કસ પ્રકારની ગોઠવણનો આ ચાલી આવતો ભાગ છે. આ તમામ વચ્ચે શહેરમાં થવી જોઈતી સફાઈ કામગીરીમાં અત્યાર સુધી આક્ષેપો પ્રતિઆક્ષેપો થતા અને મીડિયાના અહેવાલો જોવા મળતા પણ છતાં સતાધીશો સ્વીકારવા તૈયાર નહોતા પરંતુ તાજેતરમાં જ મળેલ એક સ્ટે.કમિટીની બેઠકમાં આ વાતનો વધેલ ફરિયાદો બાદ રેકોર્ડ પર સ્વીકાર થયાનું સામે આવ્યું છે.
સ્ટે.કમિટીની બેઠકમાં અધ્યક્ષસ્થાને થી લખવામાં આવ્યું છે કે દરેક વોર્ડમાં બપોર બાદ સફાઇ કામગીરી થતી નથી અને જે તે બીટ ઉપર સફાઇ કામદારો હાજર હોતા નથી. આવી ફરીયાદો વધવા લાગી છે.હવે આવી વાત જયારે રેકોર્ડ પર હોય ત્યારે તે સત્ય જ કહેવાય પણ આ વાત અહીંથી પૂર્ણ ના કરી અને શહેર સ્વચ્છ બને તે દિશામાં કોઈ પ્રયાસ થશે કે સુચના માત્ર સુચના જ રહી જશે તે જોવાનું છે.