Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ફગાસ ગામે રહી ખેતીકામ કરતાં જગમાલ અજમાલ નામના વ્યકિતને કાલાવડ તાલુકાના નાગપુર ગામે રહેતા આરોપી મોહન મગનની પત્ની નાથીબેન જે રીસમાણે બેઠી હતી ત્યારે તેના પિતાના ઘેર અરણા ગામ રહેતી હતી. ગુજનાર જગમાલ અરણા ગામ મુકામે અવાર-નવાર આવતો હોવાથી તેણી સાથે પ્રેમ થઈ ગયેલ હતો અને તેણીને લઈ ને પોતાના ગામ નાગપુર મુકામે રહેવા આવી ગયેલ હતો અને બન્ને મૈત્રી કરાર કરીને સાથે રહેતાં હતાં. આ બાબતની જાણ આરોપીને થતાં તે વાતનો ખાર રાખીને આરોપી મોહન મગન મરણજનાર જગમાલ અજમાલના ગામ ફગાસ મુકામે ગયેલ હતો અને જયાં રાત્રીના સમયે ગુજરનાર તેના ત્રણ સગીર સંતાનો સાથે સુતા હતાં ત્યાં વાડીએ આવી ગુજરનારના સગીર સંતાનોની નજર સામે ગળાના ભાગે છરી મારી, હત્યા કરી પોતાની પત્નીને લઈને ભાગી ગયેલ હતો. બનાવ સમયે રાત્રીનો સમય હતો તેથી સગીર સંતાનો એ કોઈ ને બોલાવેલ નહીં અને સવારના સમયમાં તેઓના કાકા જીણાભાઈ અજમલભાઈને બનાવની વાત કરતાં તેઓએ કાલાવડ પો.સ્ટે. માં બનાવ અન્વયે ની ફરીયાદ નોંધાવેલ હતી. આ ફરીયાદ ના આધારે તપાસનીસ અધિકારીએ ઉંડી તપાસ કરી આરોપીને અટક કરી, તેની વિરૂધ્ધનો પુરાવો મેળવી આરોપી સામે ચાર્જશીટ કરેલ હતું.
આ કેસ કમીટ થઈ સેસન્સ કોર્ટમાં ચાલવા આવતાં સરકાર પક્ષે એડી.પબ્લીક પ્રોસી. ધર્મેન્દ્ર એ. જીવરાજાની હાજર થયેલ હતાં અને તેઓએ આ કેસમાં કુલ 21 સાહેદો તપાસેલ અને 26 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતાં. આરોપી જગમાલ એ પોતે કોઈ ગુન્હો કરેલ ન હોય અને પોલીસ દવારા ગુન્હા માં પોતાને ખોટી રીતે સંડોવી દીધેલ હોય અને નિર્દોષ હોય તેથી ગુન્હામાંથી મુકત કરવો જોઈએ વિગેરે રજુઆતો કરેલ હતી. સરકાર પક્ષે એડી.પબ્લીક પ્રોસી. ધર્મેન્દ્ર એ. જીવરાજાની એ દલીલ કરેલ હતી કે, આ કેસમાં બનાવ નજરે જોનાર માત્ર ગુજનારના સંતાન છે અને આઠ વર્ષના સગીર જુબાની લેતાં પહેલા કોર્ટ દવારા યોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે ત્યારબાદ આ સાહેદની જુબાની લેવામાં આવેલ છે. આ સાહેદે જે બનાવ બનેલ તે અંગેની પોતે જોયેલ હકીકત કોર્ટ રૂબરૂ જણાવેલ છે.
સાહેદની જુબાની જરાપણ ક્રાન્ટાડીકશન આવેલ નથી અને તેની ઉલ્ટ તપાસમાં પણ કોઈ મહત્વની હકીકત ખુલવા પામેલ નથી અને આ સગીરની જુબાની ન માનવને કોઈ કારણ નથી અને આ સાથે અન્ય સાહેદો ના પુરાવા ત્થા તપાસનીસ અધિકારીએ મેળવેલ પુરાવાઓ વિગેરે પરથી આરોપી એ ગુન્હો કર્યા નું સાબિત થતું હોય અને પ્રોસીકયુશન એ પોતાનો કેસ પુરવાર કરેલ હોય વિગેરે દલીલો માન્ય રાખી એડી. સેસન્સ કોર્ટે આરોપી મોહન મગન પરમાર ને આઈ.પી.સી. કલમ ૩૦૨ અન્વયે આજીવન કેદની ત્થા જી.પી.એકટ અન્વયે રૂા.૫,૦૦૦/- નો દંડ ની સજા ફરમાવતો હુકમ જાહેર કરેલ હતો. વિશેષમા કોર્ટ દવારા ગુજરનાર ના સંતાનો સરકાર તરફથી વળતર મળે તે માટે જીલ્લા કાનુની સેવાસતા મંડળ ને ભલામણ કરવામાં આવેલ છે.