Mysamachar.in-જામનગર:
જામનગર નજીક ઠેબા ચોકડીથી ખીજડીયા બાયપાસ જતા હાઇવે રોડ પર સાંઢીયા પુલ નજીક ગતરાત્રે શિવાજીભાઇ રામભોલ મિશ્રા નામના પ્રૌઢ બાઇક પર પસાર થઇ રહયા હતા જે વેળા તેઓ રોડ પર ગેરકાયદે તુટેલુ ડીવાઇડર ઓળંગી રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે ત્યાંથી પસાર થતી એસઆરપીગ્રૃપ-13 ઘંટેશ્વરના અધિકારીની સુમો સાથે તેનું બાઇક ટકરાયુ હતુ.જેમાં ગંભીર રીતે ઘવાયેલા શિવાજીભાઇનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળ તેમજ હોસ્પીટલમાં દોડી ગઇ હતી.આ બનાવ મામલે એસઆરપી કર્મચારી મેસુરભાઇ દેવરખીભાઇ મકવાણાની ફરિયાદ પરથી પોલીસે બાઇકચાલક સામે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. મૃતક પ્રૌઢ જામનગરના ખોડીયાર કોલોની નજીક ઢીંચડા રોડ પર બાલાજી પાર્ક-2 વિસ્તારમાં રહેતા હોવાનુ સામે આવ્યુ છે.જેઓ મોડી સાંજે જામનગર તરફ બાઇક પર પરત આવી રહયા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતાં.મૃતકનો પુત્ર જી.જી.હોસ્પીટલની લેબોરેટરીમાં ફરજ બજાવે છે.