Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવેલ મોરકંડા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, માલવાહક વાહનચાલકે અડફેટ લેતા રસ્તેથી પસાર થઇ રહેલા ત્રણ પદયાત્રીઓના કરુણ મોત નીપજ્યા છે, જયારે એકની હાલત ગંભીર હોય તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે,પોલીસ ઘટના સ્થળ પર પહોચી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.મૃતકો જામજોધપુરના સોનવડીયાથી મોરબી નજીક મચ્છુ માતાજીના મંદિરે પદયાત્રાએ જવા માટે નીકળ્યા હતા, દરમિયાન રસ્તામાં બુલેરો ચાલકે અડફેટ લેતા 2 ના સ્થળ પર જ જયારે 1 નું હોસ્પીટલમાં મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે.