Mysamachar.in-જામનગર
જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલના જાયવા નજીક કાર પલટી જતા એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે જયારે બે લોકોની હાલત ગભીર છે, રાજકોટનો પટેલ પરિવાર રાજ્કોટથી સોયલ કોઈ કામે જઈ રહયો હતો ત્યારે જાયવા ગામ નજીક કાર પલટી જતા કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજતા અરેરાટી મચી જવા પામી છે, ઘટનાની જાણ થતા પીએસઆઈ કાંટેલિયા સહિતનો ધ્રોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો છે. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.બે ગંભીર ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.