Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
નોકરીમાંથી નિવૃત થઇ ગયા બાદ કાઈ ના થાય તેવો વહેમ રાખી ફરનાર કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ માટે એસીબીએ વધુ એક વખત મેસેજ આપતો ગુન્હો દાખલ કર્યો છે, આ કેસમાં એસીબી પાસેથી મળી રહેલી વિગતો મુજબ અરજદાર દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળીયા ખાતે ઇલેકટ્રીક ફિટીંગ તથા રીપેરીંગનું કામ કરતા હોય અને તેઓએ પોતાના ધંધા માટે જી.એસ.ટી. નંબર મેળવવા અરજી કરેલ તે અરજી અનુસંધાને સ્થળ વિઝીટ કરી એપ્રુવલ આપવા આરોપી મારખીભાઈ રામભાઈ રાવલીયા, વર્ગ-૩, તત્કાલીન રાજ્ય વેરા નિરીક્ષક (એસ.ટી.આઈ.), જી.એસ.ટી. કચેરી, (હાલ-નિવૃત) જામખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકાના અરજદાર પાસે રૂ.2000 ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂ.1500 આપવાનું નક્કી કરેલ ત્યારબાદ બીજા દિવસે આરોપીએ પોતાની જી.એસ.ટી.ઓફિસમાં અરજદાર પાસેથી રૂ.1000ની લાંચ લીધેલ. જેની અરજદાર દ્વારા પુરાવા સાથે અરજી કરવામાં આવતા અરજીની પ્રાથમિક તપાસમાં અંતે આ આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, પોતાનો અંગત આર્થીક લાભ મેળવવા ગુન્હાહિત ગેરવર્તણુંક આચરી, અરજદાર પાસેથી લાંચના રૂ.1000 સ્વીકારી હોવાનું ફલીત થયેલ.જેથી આરોપી મારખીભાઈ રામભાઈ રાવલીયા, તત્કાલીન રાજ્ય વેરા નિરીક્ષક (એસ.ટી.આઈ.) વર્ગ-3, જી.એસ.ટી. કચેરી, જામખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા (હાલ-નિવૃત) રહે. જામખંભાળીયા નાઓ વિરૂધ્ધ દેવભુમી દ્વારકા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. 04/2021 ભ્રષ્ટાચાર અધિનિયમ સને 1988 (સુધારો-2018) ની કલમ-7(એ) તથા 13(2) મુજબનો લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.