Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં ભ્રષ્ટાચાર ઘટવાને બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે, પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મહેસુલમંત્રી ભ્રષ્ટાચાર મુક્ત વિભાગો બને તે માટે વારંવાર જાહેરમાં ટકોર કરે છે, પણ જેના પેટ જ નથી ભરાતા તેવા ભ્રષ્ટાચારી અધિકારીઓ ટેબલ નીચેનો વહીવટ થાય પછી જ અરજદારોના કામ કરે છે. આમ ભ્રષ્ટાચાર મુક્ત સરકારના દાવા વચ્ચે ACBમાં નોંધાયેલા કેસનાં સામે આવેલ આંકડાઓ ચોકાવનારા ચોકકસ છે, 6 વર્ષમાં કરોડોની અપ્રમાણસર મિલકત સરકારી બાબુઓ પાસેથી ઝડપાઈ હોવાનું રેકર્ડ પર છે અને આ આંકડો ઘટવાને બદલે દરવર્ષ વધતો જ જાય છે.
વર્ષ 2017 થી 2021 સુધી ACB માં 1207 કેસ થયા જેમાં ટ્રેપના અલગ અલગ પ્રકારો પણ છે, લાંચિયા બાબુઓ સામે 2017 થી 2021 સુધી 1207 કેસ નોંધાયા છે. જેમાં વર્ષ 2021માં કુલ 173 કેસ કરવામાં આવ્યા. જેમાં ટ્રેપના 122 કેસ, ડિકોયના 16 કેસ, ડીએના 11 કેસ ક્યારે અન્ય 24 કેસ કરવામાં આવ્યાં જે કેસ 2020માં 40 ટકા કન્વેક્શન રેટ હતો તેના કરતાં ચાલુ વર્ષે 43 ટકા થયો જેમાં 3 ટકા વધારો નોંધાયો છે,
-2017 થી 2021 સુધી નોંધાયેલ કેસ…
2017માં 148 કેસ
2018માં 332 કેસ
2019માં 355 કેસ
2020માં 199 કેસ 2021માં 173 કેસ
વર્ગ પ્રમાણે જોઈએ તો…
વર્ગ 1ના 10 કર્મચારી
વર્ગ 2ના 25 કર્મચારી
વર્ગ 3ના 140 કર્મચારી
વર્ગ 4ના 9 કર્મચારી ખાનગી 103 કર્મચારી
તો કેટલાક સરકરી કર્મચારીઓ અધિકારીઓને મનમાં એમ હોય છે કે નોકરી જલ્દી પૂર્ણ કરો અને માલ ભેગો કરો પછી કાઈ ના થાય આવું નથી એસીબી નિવૃત થયેલ અધિકારી સામે પણ ચાર વર્ષ સુધી કેસ કરી શકે છે, અને તેની સામે આવક કરતા વધુ સંપતિ હોય તો અપ્રમાણસર મિલકત અંગેનો ગુન્હો દાખલ એસીબી ધારે તો કરી શકે છે.સરકારી નોકરીનો લાભ મેળવી પોતાની મિલકત વસાવવા કરી રહ્યાં છે. આવી જ રીતે છેલ્લાં 5 વર્ષમાં એન્ટી કરપ્શન બ્યુરોએ અનેક કેસ કરી કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત કબજે કરી.જેમાં 2020મા એસીબીએ સૌથી વધુ 38 કેસ કરી 50 કરોડ 11 લાખ 12 હજાર 824 રૂપિયાની અપ્રમાણસાર મિલકત ઝડપી છે. તો 2021માં કુલ 11 કેસ કરી 56 કરોડ 61 લાખ ઉપર મિલકત શોધી. અને જો છેલ્લા 6 વર્ષમાં સરકારી અધિકારીઓ પાસેથી વર્ષવાર મળી આવેલ અપ્રમાણસર મિલકતના આંકડા પર નજર કરીએ તો…
-અપ્રમાણસર મિલકત ક્યા વર્ષમાં કેટલી મળી
2016-26,23,07,367
2017-15,69,70,857
2018-3,49,64,080
2019-27,80,78,358
2020-50,11,12,824
2021-56 કરોડ 61 લાખ
એસીબી દ્વારા કરવામાં આવેલ કેસોમાં 2020માં સૌથી વધુ આરોપીઓને સજા થઇ હોવાનું પણ સામે આવ્યુ છે..ત્યારે હવે સોશિયલ મીડિયા તેમજ ઓડિયો અને વિડિયો મળે તો પણ એસીબી દ્વારા કડક કાર્યવાહી કરીને લાંચીયા બાબુઓને ઝડપી લેવામાં આવે છે. જે ગત વર્ષ 2021માં નોંધપાત્ર કેસ જોઈએ તો….અમદાવાદ આર.આર.સેલમાં 50 લાખની ટ્રેપ જે મોટી ટ્રેપ એસીબીના ઇતિહાસની સૌથી મોટી ટ્રેપ માનવામાં આવે છે, આવા જ અન્ય એક ધોળકા મામલતદારને 25 લાખ રોકડ સાથે ઝડપ્યાં, નાયબ મામલતદાર વિરમ દેસાઈ ગાંધીનગર સામે 30 કરોડનો કેસ કરેલ, પંચમહાલમાં ઝરીના અન્સારીને 2.45 લાખ સાથે ઝડપ્યાં દ્વારકામાં નાયબ કલેકટર નિહાર ભેટરીયા તેઓને 3 લાખ સાથે ઝડપ્યાં તે સહિતના કેસો ગત વર્ષે એસીબીને મોટી સફળતા અપાવનારા રહ્યા છે.આમ ભ્રષ્ટાચાર કરનાર કર્મચારીઓ અને અધિકારીઓને લાંચ આપવાને બદલે લોકોએ સ્વયમ જાગૃતતા કેળવવી પડશે અને લાંચ આપવાને બદલે તેને જિંદગીભર યાદ રહે તેવી સબક શીખવવા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી ઉઘાડા પાડવા આગળ આવવું જોઈએ.