Mysamachar.in-જામનગર
આપણા ઘરે કોઈ જાણીતા કે પછી અજાણ્યા વ્યક્તિ આવે તો પણ પુરતું ધ્યાન રાખવું જોઈએ, અને ખાસ ત્યારે જયારે આપણા ઘરની અન્ય ચાવીઓ ઘરમાં જ હોય..જામનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો જેમાં એક પ્રસંગે ઘર પર આવેલ જેના ઘરમાંથી ચોરી થઇ તેના દુરના સગાએ જ ઘરની ચાવીનો જૂડો મેળવી લઇ અને તે ચાવીથી કટકે કટકે લાખોની ચોરી કર્યાની ફરિયાદ બાદ આ ગુન્હાનો ભેદ જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે.
આ કેસમાં ફરિયાદી નીલેશ લવજી દોમડીયા જેવો પોતે ઉદ્યોગકાર છે, અને શીવમપાર્ક -3 ટેલીફોન એકચેન્જ જામનગર નજીક વસવાટ કરે છે, તેના રહેણાક મકાનમાં છેલ્લા છ માસ દરમ્યાન કોઇ અજાણયા ઇસમે અલગ અલગ સમય ત્રણ વખત ઓરીઝનલ કે ડુપ્લીકેટ ચાવી વડે મકાનના તથા કબાટના લોકના દરવાજા ખોલી રોકડ રૂપીયા 30,00,000 તથા સોનાના દાગીના કિ.રૂ. 2.30 તથા એક મોબાઇલ ફોન કુલ 3.32.75,000 ની ચોરી કરી લઇ જવા અંગેનો બનાવ બનેલ હતો,
ઉપરોકત બનાવી ગંભીરતા ધ્યાને લઇ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ ધરફોડ ચોરીનો વણઉકેલાયેલ ગુનો શોધી કાઢી, મા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સૂચના કરવામાં આવેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ-જામનગરના પોલીસ ઇન્સપેકટર એસ.એસ.નિનામાની દેખરેખ હેઠળ એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સ્થળ મુલાકાત લઇ બનાવ વાળી જગ્યા આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરવામાં આવેલ બનાવમા ચોરી કોઇ જાણભેદુ ઇસમની સંડોવણી હોવાનું જણાય આવેલ હતુ.
ચોરીનો ગુનો શોધી કાઢવા માટે એલ.સી.બી. દ્વારા અલગ અલગ દિશામાં તપાસ ચાલુ હતી,તે દરમ્યાન એલ.સી.બી.ના દિલીપ તલાવડીયા.સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે ઘરફોડ ચોરીમા જસ્મીનભાઇ મનસુખભાઇ વિરાણી રહે. જામનગરની સંડોવણી હોવાનુ જણાય આવેલ છે.
જેથી સ્ટાફના યશપાલસિહ જાડેજા, તથા હરદિપભાઇ ધંધાલ તથા યોગરાજસિંહ રાણાથી બાતમી ડેવલોપ કરતા જસ્મીનભાઇ મનસુખભાઇ વિરાણી રહે.મારૂતિ રેસીડન્સી,ફેસ-૦૨,સામે જામનગર મુળ ગામ ફાચરીયા તા.જી-જામનગર ની ઓળખ મેળવી,મજકૂર હાલ જામનગર શહેરમાં ખોડીયાર કોલોની મહેર સમાજ ની વાડી સામે સુપર સ્પ્લેન્ડર મો.સા નંબર જીજે-10 સી.પી 4568 સાથે ઉભો હોવાની હકિકત મળેલ હોય. | જેને પકડી પાડી પુછપરછ કરતા તેને ફરીયાદીના મકાનની ચાવીનો એક સેટ મેળવી લઇ. છેલ્લા છ માસના સમય ગાળા દરમ્યાન ચાવીથી દરવાજા ખોલી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.
શું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
-રોકડ રૂપીયા ત્રીસ લાખ રૂપીયા
સોનાની દાગીના અઢી લાખની કિમતના, ચોરીમા ગયેલ મો.ફોન જેની કીમત 20,000 સુપર સ્પ્લેન્ડર બાઈક
-કામગીરી કરનાર ટીમ એલસીબી
એસ એસ.નિનામા પોલીસ ઇન્સપેકટર, PSI કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા, બી.એમ દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, હરદિપભાઇ ધાધલ, દિલીપભાઇ તલાવડીયા ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા પાનાભાઇ મોરી, હીરેનભાઇ વરણવા, નિર્મળસિંહ એસ.જાડેજા, ખીમભાઇ ભોચીયા, અશોકભાઇ સોલંકી, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદીનાઓ દ્વારા કરવામાં આવેલ છે.